પુલવામા હુમલામાં NIA ને મળી મોટી સફળતા, વિસ્ફોટમાં ઉપયોગ થયેલી ગાડીના માલિકના ઘર સુધી પહોંચી ટીમ

|

Feb 25, 2019 | 4:14 PM

જમ્મુ કાશ્મીર પુલવામા આતંકી હુમલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીને મોટી સફળતા હાથ લાગી છે. NIA દ્વારા આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી કાર અને તેના માલિકની ઓળખ કરી લીધી છે. આ ગાડી દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારના સજ્જાદ ભટ્ટની હોવાનું સામે આવી રહ્યું છે. સજ્જદ શોપિંયાના સિરાજ-ઉલ-ઉલૂમનો વિદ્યાર્થી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે […]

પુલવામા હુમલામાં NIA ને મળી મોટી સફળતા, વિસ્ફોટમાં ઉપયોગ થયેલી ગાડીના માલિકના ઘર સુધી પહોંચી ટીમ

Follow us on

જમ્મુ કાશ્મીર પુલવામા આતંકી હુમલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીને મોટી સફળતા હાથ લાગી છે. NIA દ્વારા આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી કાર અને તેના માલિકની ઓળખ કરી લીધી છે. આ ગાડી દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારના સજ્જાદ ભટ્ટની હોવાનું સામે આવી રહ્યું છે.

સજ્જદ શોપિંયાના સિરાજ-ઉલ-ઉલૂમનો વિદ્યાર્થી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, સજ્જાદ જૈશ-એ-મોહમ્મદમાં શામેલ થઈ ચુક્યું છે. NIA દ્વારા ઘટનાસ્થળ પરથી આતંકીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ કારના ટુકડાઓના આધાર પર માહિતી એકત્ર કરી રહ્યું છે. જેમાં સામે આવ્યું છે કે હુમલામાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર મારૂતિી છે જેનો ચેસિસ નંબર MA3ERLF1SOO183735 અને જેનો એન્જીન નંબર G12BN164140 છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ કાર અનંતનાગના મો. જલીલ અહમદ હક્કાનીને વેચવામાં આવી હતી. જે પછી આ કાર અન્ય 7 લોકોને વેચવામાં આવી છે. જે પછી 4 ફેબ્રુઆરીના અનંતનાગ જિલ્લાના મકબૂલ ભટ્ટના પુત્ર સજ્જાદ ભટ્ટની પાસે પહોંચી હતી.

NIA ની ટીમ છેલ્લા થોડાં દિવસોથી આ મામલે તપાસ કરી રહી છે. જેમાં 23 ફેબ્રુઆરીના જમ્મુ કાશ્મીર પોલીસે સજ્જાદના ઘરે પહોંચી હતી. ધરપકડના ડરથી તે ભાગી ગયો છે. જેની શોધ કાશ્મીર પોલીસ અને NIA કરી રહ્યું છે. તેમજ તેના અંગે વધુમાં વધુ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનને કેમ આર્ટિકલ 35A ની સુનાવણીના કારણે પેટમાં દુખે છે, આર્ટિકલ 35A શું છે અને તે કેવી રીતે કાશ્મીરને ભારતના અન્ય રાજ્યોથી અલગ કરે છે ?

એવું પણ માનવામાં આવી રહ્યું છે કે સજ્જાદ જૈશ-એ-મોહમ્મદ ગ્રુપમાં સામેલ થઈ ગયો છે. જેના કારણે તે પોતાના ઘરેથી ફરાર છે. આ તરફ તેનો હથિયાર સાથેનો ફોટો પણ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે હવે વધુ ચોક્કસાઈ પૂર્વક પુરાવા એકત્ર કરવામાં આવી રહી છે.

[yop_poll id=1804]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:13 pm, Mon, 25 February 19

Next Article