AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ “Mann ki Baat” કાર્યક્ર્મમાં વિદ્યાર્થી અને વાલી સાથે આ મુદ્દાઓ પર કરી હતી ચર્ચા, જાણો 

મન કી બાત કાર્યક્ર્મ દરમ્યાન પ્રધાન મંત્રી એ વિધાર્થીઓ સાથે જયરે વાતચીત કરવાનું નક્કી કર્યું એટલામાં તેમને દેશના કેટલાય વિદ્યાર્થીઓએ એક બાદ એક તેમને લગતા પ્રશ્નો મોકલ્યા જેના PM એ પણ વિદ્યાર્થીઓના પક્ષમાં યોગ્ય જવાબ આપ્યા હતા.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ Mann ki Baat કાર્યક્ર્મમાં વિદ્યાર્થી અને વાલી સાથે આ મુદ્દાઓ પર કરી હતી ચર્ચા, જાણો 
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 10:07 AM
Share

પ્રધાન મંત્રીએ જ્યારે જાહેર કર્યું કે હું “મન કી બાત” માં આ વિષય પર વાત કરીશ, ત્યારે ઘણા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ મને તેમના સંદેશા, પ્રશ્નો, સૂચનો મોકલ્યા અને તેમની વેદના વ્યક્ત કરી અને તેમની સમસ્યાઓ પણ જણાવી. જે પ્રધાનમંત્રીએ “મન કી બાત” મારફતે શેર કર્યા હતા.

ટેલિફોનિક સંદેશ દ્વારા વિદ્યાર્થીઓએ કર્યા પ્રશ્નો

એક વિધ્યાર્થીએ તેમણે ટેલિફોનિક સંદેશ દ્વારા પુછવામાં આવ્યું હતું કે, “સર, હું તમને જણાવવા માંગુ છું કે પરીક્ષાના સમયે, ઘણી વાર અમારા ઘરોમાં, પાડોશમાં અને અમારી સોસાયટીમાં, એક અલગ પ્રકારનું વાતાવરણ છવાઈ જાય છે. આ એવી પરિસ્થિતિ તરફ દોરી જાય છે, જ્યાં વિદ્યાર્થીઓ પ્રેરણા અનુભવવાને બદલે અલગ જ પ્રકારનું વાતાવરણ અનુભવે છે. વિદ્યાર્થીએ pm ને કહ્યું કે, હું તમને માત્ર એટલું જ પૂછવા માંગુ છું કે, શું આને સુખદ વાતાવરણમાં પરિવર્તિત ન કરી શકાય?

આ એક એવો પ્રશ્ન છે જે તમામ વિધાર્થીઓના મનમાં થતો હોય છે. કારણ કે, એક વર્ષની મહેનત પછી, વ્યક્તિને પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરવાની તક મળે છે, તેથી આ આનંદ અને ઉત્સાહનો તહેવાર હોવો જોઈએ. પરંતુ એવા બહુ ઓછા લોકો હોય છે જેમના માટે પરીક્ષામાં આનંદ હોય છે.

અન્ય એક વિધ્યાર્થી હાલના ભણતર અંગે કેટલાક સવાલ કર્યા કહ્યું આજે હું શિક્ષણ સામે સૌથી મોટા પડકાર તરીકે જોઉં છું તે એ છે કે તે ફક્ત પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીએ કહ્યું માર્કસ બધા માટે મહત્વના બની ગયા છે. પરિણામે, સ્પર્ધા ઘણી વધી ગઈ છે જેના કારણે વિદ્યાર્થીઓમાં પણ તણાવમાં ખૂબ જ વધારો થયો છે. તેથી હું શિક્ષણની વર્તમાન દિશા અને તેના ભાવિ માર્ગ વિશે તમારા મંતવ્યો જાણવા માંગુ છું.

PM એ તમામ પ્રશ્નો અંગે આપ્યા ઉતર

આ બાબતે PM એ કહ્યું કે, માર્ક્સ અને માર્કશીટ મર્યાદિત હેતુ પૂરા પાડે છે. જીવન માત્ર આના સુધી સીમિત નથી. જીવનનો સાચો અર્થ એ છે કે તમે જે જ્ઞાન મેળવ્યું છે તે શું છે! તમે જે કંઈ શીખ્યા છો, તે પણ જીવવાનો પ્રયત્ન કર્યો છે કે કેમ તે બાબતમાં જીવન ખરેખર આગળ વધે છે! જીવન એ સ્થિતિને આધારે આગળ વધે છે કે તમે જે પણ મિશન પ્રાપ્ત કર્યું છે અને તમે જે પણ મહત્વાકાંક્ષાની ભાવનાનું પાલન કરવું જરૂરી છે તેમ જણાવ્યુ હતું.

કેટલાક બાળકોના માતા-પિતાએ પણ તેમની ભૂમિકા વિશે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારે પ્રધાનમંત્રીએ એ જણાવ્યુ કે, પરીક્ષા દરમિયાન માતા-પિતાની મહત્વની ભૂમિકા હોય છે. “મારી માતા શિક્ષિત નહોતી. છતાં, તે મારી પાસે બેસતી અને મને ગણિતની સમસ્યાઓ ઉકેલવા કહેતી. જે બાદ મારા સાચા ખોટા જવાબોની તુલના કરતી હતી. PM એ કહ્યું વાલીઓની આ આદત બાળકોની ભૂલો સુધારવામાં મદદ રૂપ થશે. મોદી એ કહ્યું, મારી માતાએ ધોરણ 10ની પરીક્ષા પાસ કરી ન હતી, તેમ છતાં તેમની સહાય વિના, મારા માટે CBSE પરીક્ષા પાસ કરવી અશક્ય હતી.

પ્રધાન મંત્રીને એક સજ્જનનો સંદેશ મળ્યો તેમણે પણ શિક્ષણને લઈ ભૂતકાળમાં પોતે કરેલા કર્યો અંગે વાત કરી હતી. પરંતુ તેમણે નામ જાહેર કરવાની મનાઈ ફરમાવી હતી. તેમણે કહ્યું હું નાનો હતો ત્યારે મેં મારી પરીક્ષામાં છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. અને મેં તેના માટે ખૂબ જ સારી રીતે તૈયારી કરવાનું શરૂ કર્યું. મેં નકલ કરવાની વિવિધ પદ્ધતિઓ શોધવાનો પ્રયાસ કર્યો અને તેના કારણે ઘણો સમય બગાડ્યો. હું અભ્યાસમાં તે સમય ફાળવીને તે જ ગુણ ખૂબ સારી રીતે મેળવી શક્યો હોત, જે નકલ કેવી રીતે કરવી તે અંગે વિચાર કરવામાં મેં વેડફી નાખ્યો હતો.

આ પણ વાંચો : Mann Ki Baat: પીએમ મોદીની મન કી બાતનો આજે 100મો એપિસોડ, પહેલીવાર થઈ રહી છે આ 5 બાબત

આ ઉતરમાં પ્રધાનમંત્રીએ કહ્યું, તમે જે કહો છો તે સાચું છે. આ શોર્ટકટ માર્ગો અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવાનું કારણ બની જાય છે. ક્યારેક એવું બને છે કે આપણો પોતાનો જવાબ સાચો હોય અને બીજાનો જવાબ ખોટો હોય. પરંતુ આપણે કોઈક રીતે માનીએ છીએ કે બીજાનો વાસ્તવમાં ખોટો જવાબ સાચો છે, જે આપણા પોતાના પૂર્વવત્ તરફ દોરી જાય છે. તેમણે કહ્યું અયોગ્ય માધ્યમોથી દૂર રહેવાની સલાહ તમે વારંવાર સાંભળી હશે. હું ફરી એક વાર એ જ પુનરાવર્તન કરું છું. છેતરપિંડી, નકલ અને આવા અન્યાયી માધ્યમોને કોઈપણ ખૂણાથી અને કોઈપણ સ્વરૂપમાં નહીં જુઓ આ નીતિ ચોક્કસપણે તમને જીવનમાં નિષ્ફળતાના પાતાળમાં ખેંચી જશે.

એક 12મા ધોરણના વિદ્યાર્થી દ્વારા પ્રશ્ન કરાયો કે પરીક્ષાઓ દરમિયાન જે તણાવ પેદા થાય છે તેને ઘટાડવા માટે આપણે શું કરી શકીએ એટલામાં PMએ જણાવ્યુ કેમ, પરીક્ષાના દિવસોમાં જો હું રમત-ગમત વિશે વાત કરું તો તમારા શિક્ષકો, તમારા માતા-પિતા મારાથી નારાજ થશે. “આ કેવા વડાપ્રધાન છે, જે બાળકોને પરીક્ષા દરમિયાન બહાર આવવા અને રમવા માટે કહે છે,તેમણે કહ્યું જો વિદ્યાર્થીઓ રમતગમતની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે, તો તેઓ તેમના અભ્યાસ પ્રત્યે બેદરકાર બની જાય છે જે ખોટું છે. આ ધારણા મૂળભૂત રીતે પાયાવિહોણી છે. યોગ્ય આરામ, બીજી ઊંઘની જરૂરી માત્રા, ત્રીજી છે શરીર, જે એક મુખ્ય ઘટક છે, માનસિક પ્રવૃત્તિથી આગળ શરીરના અન્ય ભાગોને પણ શારીરિક પ્રવૃત્તિની જરૂર હોય છે જેથી ભણતર સાથે રમત પણ જરૂરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
આધ્યાત્મિક આંતરિક શાંતિ, રોગમુક્તિ અને કારકિર્દીની નવી ઉત્તમ તકો
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
માંગરોળમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા કલેક્ટર સહિતના અધિકારીઓ થયા દોડતા
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, જુઓ ડ્રોન નજારો- Video
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
કેશોદમાં મેઘતાંડવ, 10 ઈંચ વરસાદ ખાબકી જતા રસ્તાઓ બેટમાં ફેરવાયા
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">