AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Har Ghar Tiranga : PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું DP બદલ્યું, લોકોને પણ કરી આ ખાસ અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)એ પોતાનું પ્રોફાઈલ પિક્ચર બદલ્યું છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડાપ્રધાને તિરંગા સાથેની ડીપી લગાવી છે. પીએમએ દેશના લોકોને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી હતી.

Har Ghar Tiranga : PM મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટનું DP બદલ્યું, લોકોને પણ કરી આ ખાસ અપીલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 12:39 PM
Share

Har Ghar Tiranga: ‘હર ઘર તિરંગા અભિયાન ચાલો આપણે આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટની ડીપી બદલીએ અને આ અનોખા અભિયાનને સમર્થન આપીએ જે આપણા પ્રિય દેશ અને આપણી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવશે.’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો સાથે તેમના ડીપીને ચેન્જ કરી છે. તિરંગા અભિયાન (Har Ghar Tiranga)માં દેશને પ્રેરણા આપતા પીએમએ પોતાની પ્રોફાઇલ પિક્ચર પર ત્રિરંગો લગાવ્યો છે. તેણે X, Facebook અને Instagram પર પોતાનું DP ચેન્જ કર્યું છે.

નાગરિકોમાં દેશભક્તિની ભાવના વધે તે માટે આજથી દરેક ઘરે ત્રિરંગા અભિયાન શરૂ થશે.

આ પણ વાંચો : Breaking News: કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડોક્ટરોએ જેનરિક દવાઓ લખવી જરૂરી, નિયમોના ઉલ્લંઘન પર લાયસન્સ થશે સસ્પેન્ડ

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું કે, દરેક વ્યક્તિ તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરીને આ અભિયાનમાં ભાગ લઈ શકે છે. મંત્રાલયે કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગા ઝુંબેશ ચલાવી રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકભાગીદારીના સાર સાથે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવાનો છે. આ પહેલ હેઠળ, પોસ્ટ વિભાગને રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણની જવાબદારી સોંપવામાં આવી છે.

કરોડો ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે

સાંસ્કૃતિક સચિવ ગોવિંદ મોહને કહ્યું કે, રાજ્યોમાં સ્વ-સહાય જૂથો દ્વારા પણ કરોડો ધ્વજ બનાવવામાં આવી રહ્યા છે, જે ધ્વજમાં આત્મનિર્ભરતા દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના અવસરે લોકોને ઘરે ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે.

વડાપ્રધાને મન કી બાતમાં કરી અપીલ

હાલમાં પોતાના મનકી બાતમાં પીએમ મોદીએ હર ધર તિરંગા પરંપરાને ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ અભિયાનને ગત્ત વર્ષ શાનદાર સફળતા મળી છે. પોસ્ટ વિભાગની ઈ-પોસ્ટઓફિસ સુવિધા દ્વારા પણ લોકો રાષ્ટ્રધ્વજ ખરીદી શકે છે. મંત્રાલયે કહ્યું કે, આ અભિયાન લોકોના દિલમાં દેશભક્તિની ભાવના જગાવવા માટે શરુ કર્યું છે.

આ અભિયાન 2022માં પણ સફળ રહ્યું જ્યાં 23 કરોડ પરિવારના લોકોએ પોતાના ઘરે ત્રિરંગા ફરકાવ્યો હતો અને 6 કરોડ લોકોએ હર ઘર તિરંગા વેબસાઈટ પર સેલ્ફી અપલોડ કરી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">