છેલ્લા ત્રણ વર્ષમાં ઓછું કામ કરતા 196 સરકારી અધિકારીઓને સમય પહેલા જ અપાઈ નિવૃત્તિ, કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી

|

Jul 28, 2021 | 5:34 PM

કર્મચારી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા એક સતત પ્રક્રિયા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ઓછું કામ કરતા 196 સરકારી અધિકારીઓને સમય પહેલા જ અપાઈ નિવૃત્તિ, કેન્દ્ર સરકારે લોકસભામાં આપી માહિતી
File Image of Office

Follow us on

બુધવારે લોકસભામાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 196 અન્ડરપર્ફોર્મિંગ અધિકારીઓ અકાળે નિવૃત્ત થયા છે. આ અધિકારીઓ પૈકી કુલ 111 ગ્રુપ એ અધિકારીઓ અને 85 ગ્રુપ બી અધિકારીઓ હતા. કર્મચારી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા એક સતત પ્રક્રિયા છે. કેન્દ્ર સરકાર લાંબા સમયથી અધિકારીઓની કામગીરી અને અખંડિતતાના આધારે સમીક્ષા કરવામાં કાર્યરત છે.

અપડેટ કરેલી માહિતી અનુસાર પ્રોબિટી પોર્ટલ પર વિવિધ મંત્રાલયો, વિભાગો, કેડર નિયંત્રિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2018, 2019 અને 2020 દરમિયાન નિવૃત્ત થયેલા અધિકારીઓની કુલ સંખ્યા 56 છે. જ્યારે ચાલુ વર્ષથી એટલે કે 30 જૂન 2021 સુધીમાં આ જોગવાઈ હેઠળ 196 અધિકારીઓ નિવૃત્ત થયા છે.

સમય પહેલા રિટાયર કરવાની અનુમતિ

મહત્વનું છે કે, આ જોગવાઈથી સરકારના કર્મચારીઓને અન્ય લોકોમાં ભ્રષ્ટ અથવા કામગીરી ન કરવા માટે જાહેર હિતમાં અકાળે નિવૃત્ત થવાની મંજૂરી છે. આ સમીક્ષા માટેની પ્રારંભિક સૂચનાઓ ઓગસ્ટ 2020 માં આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી અધિકારીએ કામ ચાલુ રાખવું જોઈએ કે જાહેરહિતમાં વહેલી તકે નિવૃત્ત થવું જોઈએ. આ માટે એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમામ મુદ્દાઓ નોટ કરવા પડે છે. જેને લઈ બધા વિભાગો, મંત્રાલયોએ સંપૂર્ણ ડેટા અને ઇનપુટ્સ આપવાના રહેશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સરકારે ગયા વર્ષે પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ કાર્યવાહીને ફરજિયાત નિવૃત્તિ માનવામાં આવશે. જેનો અર્થ એ થયો કે સરકારને લોકોના હિતને ધ્યાનમાં રાખીને અન્ડરપર્ફોર્મિંગ અધિકારીઓની નિવૃત્તિ લેવાનો અધિકાર હશે.

 

આ પણ વાંચો: સરકારે જણાવ્યું કે દેશની રક્ષામાં અર્ધસૈનિક દળના કેટલા જવાનોએ ગુમાવ્યો પોતાનો જીવ, જાણો તમામ આંકડા

આ પણ વાંચો: BARC Recruitment 2021: ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર સાયન્ટિફિક ઓફિસરની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો સમગ્ર વિગત

Published On - 5:31 pm, Wed, 28 July 21

Next Article