બુધવારે લોકસભામાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 196 અન્ડરપર્ફોર્મિંગ અધિકારીઓ અકાળે નિવૃત્ત થયા છે. આ અધિકારીઓ પૈકી કુલ 111 ગ્રુપ એ અધિકારીઓ અને 85 ગ્રુપ બી અધિકારીઓ હતા. કર્મચારી રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓની કામગીરીની સમીક્ષા એક સતત પ્રક્રિયા છે. કેન્દ્ર સરકાર લાંબા સમયથી અધિકારીઓની કામગીરી અને અખંડિતતાના આધારે સમીક્ષા કરવામાં કાર્યરત છે.
અપડેટ કરેલી માહિતી અનુસાર પ્રોબિટી પોર્ટલ પર વિવિધ મંત્રાલયો, વિભાગો, કેડર નિયંત્રિત અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષ એટલે કે 2018, 2019 અને 2020 દરમિયાન નિવૃત્ત થયેલા અધિકારીઓની કુલ સંખ્યા 56 છે. જ્યારે ચાલુ વર્ષથી એટલે કે 30 જૂન 2021 સુધીમાં આ જોગવાઈ હેઠળ 196 અધિકારીઓ નિવૃત્ત થયા છે.
મહત્વનું છે કે, આ જોગવાઈથી સરકારના કર્મચારીઓને અન્ય લોકોમાં ભ્રષ્ટ અથવા કામગીરી ન કરવા માટે જાહેર હિતમાં અકાળે નિવૃત્ત થવાની મંજૂરી છે. આ સમીક્ષા માટેની પ્રારંભિક સૂચનાઓ ઓગસ્ટ 2020 માં આપવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી અધિકારીએ કામ ચાલુ રાખવું જોઈએ કે જાહેરહિતમાં વહેલી તકે નિવૃત્ત થવું જોઈએ. આ માટે એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમામ મુદ્દાઓ નોટ કરવા પડે છે. જેને લઈ બધા વિભાગો, મંત્રાલયોએ સંપૂર્ણ ડેટા અને ઇનપુટ્સ આપવાના રહેશે.
સરકારે ગયા વર્ષે પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ કાર્યવાહીને ફરજિયાત નિવૃત્તિ માનવામાં આવશે. જેનો અર્થ એ થયો કે સરકારને લોકોના હિતને ધ્યાનમાં રાખીને અન્ડરપર્ફોર્મિંગ અધિકારીઓની નિવૃત્તિ લેવાનો અધિકાર હશે.
Published On - 5:31 pm, Wed, 28 July 21