#PMNarendraModi: વડાપ્રધાન મોદીના રાષ્ટ્રને સંબોધન પહેલા, સોશિયલ મીડિયામાં લોકોએ કેટલાક મેમ્સ શેર કર્યા

|

Jun 07, 2021 | 7:01 PM

#PMNarendraModi: દેશમાં કોરોનાની બીજી લહેરમાં કેસના ઘટાડા સાથે દેશના ઘણા ભાગોમાં અનલૉક (Unlock) કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. લોકો સોશ્યલ મીડિયા પર આ અંગે ઘણી અટકળો કરી રહ્યા છે.

#PMNarendraModi: વડાપ્રધાન મોદીના રાષ્ટ્રને સંબોધન પહેલા, સોશિયલ મીડિયામાં લોકોએ કેટલાક મેમ્સ શેર કર્યા
Memes

Follow us on

દેશમાં કોરોનાની બીજી લહેરમાં કેસના ઘટાડા સાથે દેશના ઘણા ભાગોમાં અનલૉક (Unlock) કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. લોકો સોશિયલ મીડિયા પર આ અંગે ઘણી અટકળો કરી રહ્યા છે. આ સાથે લોકો #PMNarendraModi, #PMModi સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકોએ આ હેશટેગ સાથે અનેક મેમ્સ શેર કર્યા છે. જેમાં લોકોએ પોતાની ભાવનાઓને પ્રદર્શિત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે પાંચ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમઓએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. પરંતુ, આ ટ્વીટમાં મોદી શેના વિશે વાત કરવાના છે તેનો કોઇ ફોડ પાડવામાં આવ્યો ન હતો. નોંધપાત્ર વાત એ છે કે, આજથી જ કોરોનાની બીજા લહેરમાં કેસોના ઘટાડા સાથે દેશના ઘણા ભાગોમાં અનલૉક (Unlock) કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જેથી સોમવારે એટલે કે 7 જૂનનાં રોજ પીએમ મોદીનું સંબોધન ખૂબ મહત્વનું માનવામાં આવી રહ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જોકે, પીએમ મોદીના સંબોધન પહેલા લોકોમાં આ અંગે ઘણી ચર્ચાઓએ જોર પકડયું હતું. કારણકે મોદી પોતાના સંબોધનમાં કંઇ બાબતે વાત કરશે તેને લઇને લોકોએ અનેક અટકળો લગાવી હતી. અને, આ અટકળો અને વિષયો બાબતે સોશિયલ મીડિયા પર લોકોએ અલગ-અલગ મેમ્સ શેર કર્યા હતા. આ મેમ્સ ભારે ટેન્ડ પણ થયા છે.

લોકોએ મોદીના સંબોધન પહેલા #PMNarendraModi, #PMModi # સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યાં છે. લોકો આ હેશટેગ સાથે અનેક મેમ્સ શેર કરી રહ્યાં છે.

 

 

 

 

https://twitter.com/yuvrajuv444/status/1401854066351775745

 

તમારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે કોરોના રોગચાળો આવ્યો ત્યારથી વડાપ્રધાન મોદી 8 વખત દેશને સંબોધન કરી ચૂક્યા છે. આ વખતે વડાપ્રધાને 9મી વખત કોરોનાકાળમાં દેશના લોકોને સંબોધિત કર્યા હતા. જેથી પીએમ મોદી કયા મુદ્દાઓ પર ધ્યાન આપશે, તે અંગે અગાઉથી કોઇ સત્તાવાર રીતે માહિતી અપાઇ ન હતી, પરંતુ લોકોમાં આ અંગે ઘણું કુતુહલ છવાયું હતું. જેથી લોકોએ પોતાની લાગણી, ભાવનાઓને વ્યક્ત કરવા આ મેમ્સ શેર કર્યા છે. જે સોશિયલ મીડિયામાં ભારે ટેન્ડ પણ થઇ રહ્યાં છે.

Published On - 6:52 pm, Mon, 7 June 21

Next Article