પીએમ મોદીની મધ્યપ્રદેશ મુલાકાતના બે દિવસ પહેલા જ આ સ્ટેશનનું નામ બદલીને રાણી કમલાપતિ રેલવે સ્ટેશન કરવામાં આવ્યું હતું. પહેલા તેનું નામ હબીબગંજ રેલ્વે સ્ટેશન હતું.
વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘રાણી કમલાપતિ રેલવે સ્ટેશન’ મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વ કક્ષાનું રેલવે સ્ટેશન છે, જેનું નામ ગોંડ રાજ્યની રાણી કમલાપતિના નામ પરથી રાખવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજ્જૈન-ઈન્દોર અને ઈન્દોર-ઉજ્જૈન વચ્ચેની બે નવી MEMU ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શનિવારે કહ્યું કે ભોપાલમાં સ્થિત દેશના સૌથી આધુનિક રેલવે સ્ટેશન હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘રાણી કમલાપતિ’ સ્ટેશન રાખવામાં આવ્યું છે. તેમણે આ નિર્ણય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.
મધ્યપ્રદેશ સરકારે શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને આધુનિક સુવિધાઓથી સજ્જ હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે રાણી કમલાપતિના નામથી રેલવે સ્ટેશનનું નામ રખાશે તો ગોંડ શાસકની વિધવા રાણી કમલાપતિના વારસા અને બહાદુરીનું સન્માન કરશે. ગોંડ સમુદાય ભારતનો સૌથી મોટો આદિવાસી સમુદાય છે.
રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન ભોપાલ શહેરમાં આવેલું છે અને તે રેલ્વેના પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન હેઠળ આવે છે. ભોપાલના મોટા અને નાના તળાવોની વચ્ચે આવેલા એક મહેલને ગોંડ રાણીના નામ પરથી રાણી કમલાપતિ પેલેસ નામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Sainik School Recruitment 2021: સૈનિક સ્કૂલમાં નોકરી મેળવવાની તક, જુઓ જોબ નોટિફિકેશન
Published On - 8:47 pm, Sun, 14 November 21