
વારાણસી લોકસભા બેઠક દેશની VVIP બેઠકમાંથી એક છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠક પરથી સતત ત્રીજી વખત જીત મેળવીને તેમણે જીતની હેટ્રિક લગાવી હતી. પ્રધાનમંત્રી આજે વારાણસીમાં છે ત્યા તેમણે શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરી.
પ્રધાનમંત્રી મહિમા સંમેલનમાં ભાગ લેશે. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી લગભગ 1050 કરોડ રૂપિયાથી વધુના 48થી વધુ પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ રાષ્ટ્રોને સમર્પિત કરશે. મહત્વના પ્રોજેક્ટ્સમાં વારાણસી-આઝમગઢ રોડનું વિસ્તરણ, કાઝઝકપુરા અને કદીપુર ખાતે રેલ ઓવર બ્રિજનું ઉદ્ઘાટન અને ભગવનપુરમાં 55 MLD ક્ષમતા ધરાવતા સ્યુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટ્સનું આજે ઉદ્ઘાટન કરશે. આમાં જળ જીવન મિશન હેઠળ 30 ગ્રામીણ પીવાના પાણીની યોજનાઓ, ચંદ્રાવતી ઘાટનો પુનર્વિકાસ, સારનાથ નજીક સારંગનાથ મંદિરનો પ્રવાસન વિકાસ અને નાગવાના સંત રવિદાસ પાર્કનું સુંદરીકરણ અને નવીનીકરણના કાર્યોનો સમાવેશ થાય છે. જાહેર સેવાઓ અને રમતગમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં યુપી કોલેજમાં સિન્થેટિક હોકી ટર્ફ, રામનગરમાં 100 બેડ ધરાવતો વૃદ્ધાશ્રમ અને ભેલુપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 1 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ તિબેટીયન સ્ટડીઝ ખાતે સોવા રિગ્પા ભવન (ભારત સરકાર દ્વારા પરંપરાગત તિબેટીયન ચિકિત્સા) અને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. જે પરંપરાગત દવાને આધુનિક આરોગ્યસંભાળ પ્રણાલીઓ સાથે સંકલિત કરવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે.
પ્રધાનમંત્રી હરદોઈ જિલ્લામાં ગંગા એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કરશે. જે દેશમાં વિશ્વ-સ્તરીય વિકાસમાં એક મહત્વપૂર્ણ હાઈ-સ્પીડ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે છે. ગંગા એક્સપ્રેસવે 594 કિલોમીટર લાંબો અને 6-લેન (8 લેન સુધી વિસ્તૃત કરી શકાય છે) સુધીનો છે. જે કુલ 36230 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ એક્સપ્રેસવે 12 જિલ્લાઓ જેમ કે મેરઠ, બુલંદશહેર, હાપુડ, અમરોહા, સંભલ, બદાયૂં, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજને પસાર કરે છે. જેનાથી ઉત્તર પ્રદેશના પશ્ચિમ, મધ્ય અને પૂર્વીય પ્રદેશોને એક જ સીમલેસ હાઇ-સ્પીડ કોરિડોર દ્વારા જોડવામાં આવે છે. આ પ્રોજેક્ટ મેરઠ અને પ્રયાગરાજ વચ્ચેનો મુસાફરીનો સમય વર્તમાન 10થી 12 કલાકથી ઘટાડીને આશરે 6 કલાક કરશે તેવી અપેક્ષા છે. જેનાથી પરિવહનમાં સરળતા અને કાર્યક્ષમતા વધશે. આ પ્રોજેક્ટનું મુખ્ય હાઇલાઇટ શાહજહાંપુર જિલ્લામાં 3.5 કિમી લાંબી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (એરસ્ટ્રીપ) ની જોગવાઈ છે.