વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Modi) આજે બપોરે 12 વાગે વિડીયો કોન્ફરન્સની મદદથી કર્ણાટકમાં અનુભવ મંડપમના નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે, આ કાર્યક્રમ પહેલા ટવીટ કરીને પીએમ મોદીએ કહ્યું કે લોકતંત્રનું નામ આવતા લોકોને મેગના કાર્ટાની યાદ આવે છે. પરંતુ આપણે જાણવું જોઇએ કે ભારતમાં 12 સદીમા ભગવાન બસવેશ્વરે અનુભવ મંડપમની સ્થાપના કરી હતી.