AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Emergency: ‘ડાર્ક ઓફ ડેમોક્રેસી’ ઇમરજન્સીની વર્ષગાંઠ પર PM મોદીનું ટ્વીટ, જાણો બીજું શું કહ્યું

ઈમરજન્સીની વર્ષગાંઠના અવસર પર પીએમ મોદીએ ટ્વીટ કરીને ઈમરજન્સીને લોકશાહીના કાળા દિવસો ગણાવ્યા હતા. બીજી તરફ ઉત્તર પ્રદેશ BJPએ 25મી જૂને કાળો દિવસ મનાવશે.

Emergency: 'ડાર્ક ઓફ ડેમોક્રેસી' ઇમરજન્સીની વર્ષગાંઠ પર PM મોદીનું ટ્વીટ, જાણો બીજું શું કહ્યું
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2023 | 3:24 PM
Share

ઈતિહાસના પાનાઓમાં નોંધાયેલું છે કે 25 જૂન, 1975 એ દિવસ છે, જ્યારે ભારતમાં ઈમરજન્સી લગાવવામાં આવી હતી.  આજે રવિવારે અને 25 જૂનના રોજ આ ઈમરજન્સીના 48 વર્ષ પૂરા થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઈમરજન્સીની વર્ષગાંઠ પર ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપી જે ઈમરજન્સીના સમય પર અડગ લડતા રહ્યા હતા. પીએમ મોદી હાલ ઇજિપ્તમાં રાજકીય પ્રવાસ પર છે, આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. પીએમ મોદી રવિવારે રાત્રે 12 વાગ્યે ઇજિપ્તથી દિલ્હી આવવા માટે રવાના થશે.

આ પણ વાચો: Assam Floods: આસામમાં પૂરની સ્થિતિ ગંભીર!, ગૃહપ્રધાન અમિત શાહે CM બિસ્વા સાથે વાત કરી શક્ય મદદની આપી ખાતરી

ઈમરજન્સીની વર્ષગાંઠ પર પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, “હું એ તમામ હિંમતવાન લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે ઈમરજન્સીનો વિરોધ કર્યો અને અમારી લોકશાહી ભાવનાને મજબૂત કરવા માટે કામ કર્યું. #DarkDaysOfEmergency એ આપણા ઈતિહાસનો એક અવિસ્મરણીય સમયગાળો છે, જે આપણા બંધારણ દ્વારા નિર્મિત મૂલ્યોની તદ્દન વિરુદ્ધ છે.

Credit- Twiiter @narendramodi

બંધારણની કલમ 352 હેઠળ ઈમરજન્સી જાહેર કરી હતી

બીજી તરફ, રવિવારે (25 જૂન) ભારતીય જનતા પાર્ટી યુપીમાં ‘બ્લેક ડે’ મનાવશે. આ અંતર્ગત કોંગ્રેસને ઘેરવા માટે ભાજપ સરકાર ગૌતમ બુદ્ધ નગરમાં જનસભાનું આયોજન કરવા જઈ રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ જનસભાને સંબોધશે. જણાવી દઈએ કે તત્કાલીન પીએમ ઈન્દિરા ગાંધીના કહેવા પર પૂર્વ રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ભારતીય બંધારણની કલમ 352 હેઠળ ઈમરજન્સી જાહેર કરી હતી.

ઈમરજન્સી ભારતના ઈતિહાસની સૌથી કુખ્યાત ઘટના

25 જૂન 1975થી 21 માર્ચ 1977 સુધી 21 મહિના માટે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. ઈમરજન્સી લાગુ થયા પછી લોકોની સ્વતંત્રતાથી લઈને પ્રેસની સ્વતંત્રતા સુધી દરેક વસ્તુ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. આ જ કારણ છે કે ઈમરજન્સીને ભારતીય ઈતિહાસની સૌથી કુખ્યાત ઘટનાઓમાંની એક ગણવામાં આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">