30 ઓક્ટોબર બુધવારના રોજ વડાપ્રધાન મોદી ગુજરાત આવી રહ્યાં છે. રાત્રે સાડા 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓ આવી પહોંચશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે જવા રવાના થશે.
આ પણ વાંચો : મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બની વૈશ્વિક છઠ્ઠી મોટી એનર્જી કંપની
31 ઓક્ટોબરની વહેલી સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન મોદી પહોંચશે. સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મ જયંતિ નિમિત્તે તેઓ 8 વાગ્યે પુષ્ષાંજલિ અર્પણ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ સિવાય સાડા 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી પરેડ પણ રાખવામાં આવી છે. 11 વાગ્યે આર્મ્ડ પ્રદર્શનનું ઉદ્ધાટન પણ કરવામાં આવશે. સાડા 12 વાગ્યે પીએમ મોદી અધિકારીઓની સાથે સંવાદ કરશે અને એક વાગ્યે તેઓ સંબોધન કરશે. પાંચ વાગ્યે કેવડિયા કોલોનીથી પીએમ મોદી વડોદરા પહોંચશે. ત્ચાંથી તેઓ નવી દિલ્હી ખાતે રવાના થશે.