કાશ્મીર મુદ્દે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે સવારે 9.30 વાગ્યે કેબિનેટ મીટિંગ યોજાશે. તેમાં ઘાટી પર કંઈક મોટો નિર્ણય લેવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ આ બેઠકના નિર્ણય અને કાશ્મીરની સ્થિતી પર સરકાર સંસદમાં નિવેદન પણ આપી શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વધારે જવાનોની તૈનાતી અને ઘાટી છોડવાની સલાહ પછી વિપક્ષ ઘણા દિવસોથી તેની માગ કરી રહ્યુ છે. ત્યારે તેની વચ્ચે અડધી રાત્રે પૂર્વ મુખ્યમંત્રીઓ અમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તીને પણ નજરબંધ કરવામાં આવ્યા તો રાજ્યપાલે DGP અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની સાથે તાત્કાલિક બેઠક કરી.
ઉલ્લેખનીય છે કે દિલ્હીથી લઈને જમ્મૂ-કાશ્મીર સુધી હલચલ ઝડપી બની છે. ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, કેન્દ્રીય સચિવની સાથે ગુપ્તચર એજન્સીઓના પ્રમુખ પણ સામેલ થયા હતા. તમામ પરિસ્થિતીની વડાપ્રધાનને જાણકારી આપવામાં આવી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકાર સંસદ સત્રના 2 દિવસ વધારી શકે છે. જેનાથી વર્તમાન સ્થિતી પર ચર્ચા થઈ શકે. ગૃહમંત્રી અમિત શાહની આગામી અઠવાડિયે કાશ્મીર પ્રવાસની પણ તૈયારી છે.
[yop_poll id=”1″]
આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોને આજે સ્ત્રી મિત્રો તરફથી લાભ થઈ શકે છે
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]