Gujarati NewsNationalPm modi to attend bhoomi pujan of ram temple know complete schedule pm modi no ayodhya karyakarm jaher manch par aa 5 loko rahse hajar
વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ જાહેર, મંચ પર આ 5 લોકો રહેશે હાજર
અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાનારા રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન સવારે 11.15 કલાકે અયોધ્યા પહોંચશે. ભૂમિપૂજન પહેલા તેઓ હનુમાન ગઢી, રામલલ્લાના દર્શન કરશે અને બપોરે 12.15 કલાકે રામમંદિરનું ભૂમિપૂજન કરશે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંચ પર વડાપ્રધાન સહિત માત્ર પાંચ […]
Follow us on
અયોધ્યામાં 5 ઓગસ્ટે યોજાનારા રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીનો અયોધ્યા કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. 5 ઓગસ્ટે વડાપ્રધાન સવારે 11.15 કલાકે અયોધ્યા પહોંચશે. ભૂમિપૂજન પહેલા તેઓ હનુમાન ગઢી, રામલલ્લાના દર્શન કરશે અને બપોરે 12.15 કલાકે રામમંદિરનું ભૂમિપૂજન કરશે. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંચ પર વડાપ્રધાન સહિત માત્ર પાંચ જ લોકો હાજર રહેશે. વડાપ્રધાન સાથે મંચ પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSS પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્યગોપાલદાસ હાજર રહેશે.