AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથે લીધું, ‘કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે’

ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને ગાંધી પરિવારના નજીક મનાતાં સામ પિત્રોડાના નિવેદનને વડાપ્રધાન મોદીએ શર્મજનક નિવેદન ગણાવ્યું છે અને કહ્યું કે, કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. સામ પિત્રોડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પુલાવામા હુમલા માટે સમગ્ર દેશને જવાબદાર ગણવું યોગ્ય નથી. જે પછી વડાપ્રધાન મોદી કોંગ્રેસને ઘેરવાની શરૂઆતી કરી દીધી હતી. […]

સામ પિત્રોડાના નિવેદન પર પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથે લીધું, 'કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે'
Follow Us:
| Updated on: Mar 22, 2019 | 7:11 AM

ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને ગાંધી પરિવારના નજીક મનાતાં સામ પિત્રોડાના નિવેદનને વડાપ્રધાન મોદીએ શર્મજનક નિવેદન ગણાવ્યું છે અને કહ્યું કે, કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. સામ પિત્રોડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, પુલાવામા હુમલા માટે સમગ્ર દેશને જવાબદાર ગણવું યોગ્ય નથી. જે પછી વડાપ્રધાન મોદી કોંગ્રેસને ઘેરવાની શરૂઆતી કરી દીધી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી તરફથી તેમના સૌથી વિશ્વાસપાત્ર સલાહકાર અને નિર્દેશકે પાકિસ્તાન નેશનલ ડેનું ઉદ્ધાટન કરી દીધું છે. કોંગ્રેસ પાર્ટી દેશની સેના સામે જ સવાલ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના વફાદારોએ માની જ લીધું હતું કે કોંગ્રેસ આતંકવાદી તાકતોને જવાબ આપવ માંગતા ન હતા.

તમારી મનપસંદ કેરી કાર્બાઈડથી પકવેલી છે કે નહીં? કેવી રીતે ચકાસશો?
રશિયા, ચીન કે અમેરિકા, કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?
જ્યોતિ બની 'જાસૂસ' પણ કેવી રીતે? એ જ તો છે જાણવા જેવું
દર મહિને રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ, Jio લાવ્યું સૌથી સસ્તો એન્યુઅલ પ્લાન
Micro Walking: માઇક્રો વોકિંગ શું છે અને તેના ફાયદા શું છે?
રિષભ પંતના પરિવાર વિશે જાણો

મોદી સમયસૂચકતાંને જોતાં કોંગ્રેસ પર હુમલો બોલતાં કહ્યુંકે, આ નવું ઇન્ડિયા છે અને અમે આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપીશું જે ભાષા તેઓ સમજે છે. સપા નેતા રામગોપાલ યાદવે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, કેન્દ્ર સરકાર આતંકવાદનું સમર્થન કરી રહ્યું છે અને દેશની સેના જવાનો મરી રહ્યા છે અને સરકાર રાજકારણ કરી રહી છે.

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાનો સાધ્તાં કહ્યું કે, વિરોધી પક્ષ વારંવાર સેનાનું અપમાન કરી રહ્યું છે. હું મારા દેશવાસીઓને અપીલ કરું છું કે તેઓ આ લોકોને સવાલ કરે. તેમને જણાવી દો 130 કરોડ લોકો તેમને માફ નહીં કરશે.

આ પણ વાંચો : કોંગ્રેસના વિશ્વાસું સામ પિત્રોડના વિવાદાસ્પદ બોલ, શું ખરેખર 300 આતંકીને ઠાર કરાયા છે કે માત્ર લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે?, મોદીએ પણ કર્યો વળતો પ્રહાર

સામ પિત્રોડાના નિવેદન પછી કોંગ્રેસે પણ તાત્કાલિક પિત્રોડા પાસે જવાબ માંગ્યો છે. એટલું જ નહીં પિત્રોડા પણ પોતાના નિવેદન અંગે ખુલાસો આપી રહ્યા છે અને પોતાની વાતને પાર્ટી સાથે ન જોડતાં વ્યક્તિગત અભિપ્રાય ગણાવી રહ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">