આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને (UP Assembly Election) ધ્યાનમાં રાખીને યુપી હાલ ફોકસમાં છે. આજે પીએમ મોદી અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કામોની સમીક્ષા કરશે (PM Modi Review Development Work Of Ayodhya). વીડિયો કોન્ફરન્સિંગથી યોજાનારી આ બેઠકમાં સીએમ યોગી પણ હાજર રહેશે. પીએમ મોદી અને સીએમ યોગીની સાથે ડેપ્યુટી સીએમ સહિત 13 વધુ સભ્યો પણ વીડિયો કોન્ફરન્સિંગમાં જોડાઈ શકે છે.
વર્ચુઅલ પ્રોગ્રામમાં અનેક વિભાગના સચિવો પણ હાજર રહેશે. મુખ્ય સચિવ પીએમ મોદી સમક્ષ અયોધ્યાના વિકાસની રજૂઆત કરશે. પીએમ મોદી એવા સમયે અયોધ્યાના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા જઇ રહ્યા છે, જ્યારે રામ મંદિરના કથિત જમીન કૌભાંડના મામલાએ જોર પકડ્યું છે. અયોધ્યામાં 1200 એકર જમીનમાં વૈદિક શહેર અને 84 કોસના સાંસ્કૃતિક રીતે વિકાસ માટે બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી રહી છે.
વડાપ્રધાન અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટ જોશે
પીએમ મોદી પોતે આ કામની દેખરેખ રાખી રહ્યા છે, જેથી રામ નગરીના વિકાસમાં કોઈ ભૂલ ન થાય. ફેબ્રુઆરી માસથી સલાહકાર એજન્સી અયોધ્યામાં વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ દસ્તાવેજ માટે અત્યાર સુધીમાં લગભગ 500 લોકોની સલાહ લેવામાં આવી છે. જેથી રામ નગરીનો વિકાસ સારી રીતે થઈ શકે. અયોધ્યાના સંતો, રામ જન્મભૂમિ ટ્રસ્ટ, સાંસદો, ધારાસભ્યો સહિત ઘણા લોકોના સૂચનો લેવામાં આવ્યા છે.
અયોધ્યાના વિકાસ પર સરકારનું ધ્યાન
સરકાર અયોધ્યાની આસપાસના સ્થળોના વિકાસ પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહી છે. તે એક પ્રયાસ છે કે અયોધ્યાને આધુનિક બનાવવાની સાથે સાથે તેનું જૂનું સ્વરૂપ પણ અકબંધ રહેવું જોઈએ. આ બાબતોને ધ્યાનમાં રાખીને વિકાસ યોજના તૈયાર કરવામાં આવી રહી છે. લગભગ 20 હજાર કરોડ રૂપિયા અયોધ્યાની ભવ્યતા પાછળ ખર્ચ થશે.
અયોધ્યાને આધુનિક પર્યટન સ્થળ બનાવવાની સાથે લોકોને નોકરી-રોજગાર પણ મળશે. તેને ધ્યાનમાં રાખીને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ખુદ પીએમ મોદી આ તૈયારીઓની સમીક્ષા કરવા જઇ રહ્યા છે.