પેપર લીક કેસમાં વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ

દિલ્હીના જંતર-મંતર પર વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક મામલે મોટો નિર્ણય લીધો છે. કેસના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે અને દોષિતો સામે કડક પગલાં લેવાશે.

પેપર લીક કેસમાં વડાપ્રધાન મોદીનો મોટો નિર્ણય, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે સુનાવણી, દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jul 23, 2026 | 12:29 PM

દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલતા વિદ્યાર્થી આંદોલન અને વિપક્ષના વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીક કેસ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે પેપર લીકના તમામ કેસોની સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ કેસનો ઝડપી નિકાલ આ જ કોર્ટ દ્વારા કરવામાં આવશે. વડાપ્રધાને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને આ અંગેની જાણકારી આપી હતી.

વડાપ્રધાન મોદીએ લખ્યું કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને સખતમાં સખત સજા આપવામાં આવશે. કેસોના તાત્કાલિક નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી રહી છે અને સંબંધિત વિભાગને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં.

વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવા નહીં દઈએ

તાજેતરમાં એનડીએ (NDA) ના સંસદીય દળની બેઠકમાં પણ પીએમ મોદીએ નીટ (NEET) પેપર લીક મામલાનો ઉલ્લેખ કર્યો હતો. આ બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાને આ મામલાને ઘોર પાપ ગણાવ્યો છે અને સ્પષ્ટ કહ્યું છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડવા દેવામાં આવશે નહીં. કેસ સામે આવતા જ તાત્કાલિક કાર્યવાહી કરીને ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પરીક્ષા રદ કરીને ફરીથી યોજવામાં આવી હતી. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક તકેદારી રાખવા આદેશ અપાયા છે.

પેપર લીક મુદ્દે સંસદથી લઈને જંતર-મંતર સુધી વિરોધ

ઉલ્લેખનીય છે કે પેપર લીકના મુદ્દે વિપક્ષ સતત સરકાર પર નિશાન સાધી રહ્યો હતો. દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા એક મહિનાથી આ મુદ્દે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જેને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોનો ટેકો મળી રહ્યો છે. સંસદના ચોમાસુ સત્રમાં પણ વિપક્ષ દ્વારા આ મુદ્દે સતત ચર્ચાની માંગ કરવામાં આવી રહી છે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

નવસારીમાં ભયાવહ પૂર, પાણીમાં ડૂબી ગાડીઓ, 1 લાખથી વધુ લોકો પ્રભાવિત, જળબંબાકાર વચ્ચે NDRF દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન, જુઓ Video

Follow Us