AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સંસદમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર અનેક મોટા હુમલા કર્યા, તો ડરના કારણે રાહુલ ગાંધી મેદાન છોડીને ભાગ્યા? જુઓ Video

પીએમ મોદીએ સંસદમાં 05:08 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કર્યુંં હતુ અને વિપક્ષ પર પ્રહાર કરતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ 06:40 એ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું.

સંસદમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર અનેક મોટા હુમલા કર્યા, તો ડરના કારણે રાહુલ ગાંધી મેદાન છોડીને ભાગ્યા? જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 7:17 PM
Share

સંસદમાં રાહુલ ગાંધી પર પ્રહાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ઘણી વખત ખરાબ બોલવાના ઈરાદામાં પણ સત્ય બહાર આવી જાય છે. લંકા હનુમાન દ્વારા નથી બળી પરંતુ તે રાવણના અભિમાનથી બળી હતી. જનતા પણ ભગવાન રામનું સ્વરૂપ છે, તેથી જ 400માંથી 40 થયા છે. મોદીએ કહ્યું કે ક્યારેક કોંગ્રેસના નેતાઓના જન્મદિવસ પર વિમાનમાં કેક કાપવામાં આવતી હતી, પરંતુ હવે તે વિમાનમાં ગરીબો માટે રસી મોકલવામાં આવી રહી છે.

ગરીબ માણસ એરોપ્લેનમાં મુસાફરી કરી રહ્યો છે

તેમણે કહ્યુ કે, એક સમય હતો જ્યારે ડ્રાયક્લીનિંગ માટેના કપડાં એરોપ્લેન દ્વારા લાવવામાં આવતા હતા. આજે ચપ્પલ ધરાવતો ગરીબ માણસ એરોપ્લેનમાં મુસાફરી કરી રહ્યો છે. એક જમાનામાં રજાઓ ગાળવા, મોજમસ્તી માટે તેઓ નૌકાદળના યુદ્ધ જહાજને બોલાવતા, પરંતુ હવે દૂર ફસાયેલા ભારતીયોને તે જહાજોમાં લાવવામાં આવ્યા છે.

સંસદમાંથી વિપક્ષનું વોકઆઉટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા ત્યારી સમગ્ર વિપક્ષના નેતા સંસદમાં ઉભા થઈને વિરોધ કર્યો હતો. ત્યારે પીએમે કહ્યુ કે, તમે બધા બેસી જાઓ નહી તો થાકી જશો. પીએમ મોદીએ સંસદમાં 05:08 વાગ્યે પોતાનું સંબોધન શરૂ કર્યુંં હતુ અને વિપક્ષ પર પ્રહાર કરતા રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓએ 06:40 એ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ સતત પીએમ મોદીને  સંસદમાં આવી જવાબ આપવાની માગ કરી રહ્યો હતો, પરંતુ જ્યારે આજે પીએમ મોદી સંસદમાં આવ્યા તો વિપક્ષે વોકઆઉટ કર્યું.

કોંગ્રેસે ચૂંટણી ચિન્હથી લઈને વિચારો સુધી બધું જ ચોર્યું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ વિચારે છે કે તેનું નામ બદલીને તે દેશ પર રાજ કરશે. હોસ્પિટલનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે. પરંતુ તેનો કોઈ ઈલાજ નથી. એરપોર્ટ પર તેનું નામ, એવોર્ડ તેના નામે, તમારા નામે યોજનાઓ ચલાવો, પછી હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરો. જનતા કામ જોવા માંગે છે પરંતુ તેમને માત્ર પરિવારનું નામ મળ્યું છે.

દરેક વસ્તુ કોઈ બીજા પાસેથી લેવામાં આવી

કોંગ્રેસ નામ સાથે જોડાયેલી કોઈ વસ્તુ તેમની નથી. ચૂંટણી ચિન્હથી લઈને પોતાના હોવાનો દાવો કરતા વિચારો સુધીની દરેક વસ્તુ કોઈ બીજા પાસેથી લેવામાં આવી છે. પક્ષના સ્થાપક એઓ હ્યુમ હતા, જે એક વિદેશી હતા. 1920માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને નવી ઉર્જા અને ધ્વજ મળ્યો. દેશે તેને દત્તક લીધો. એ ઝંડાની તાકાત જોઈને કોંગ્રેસે રાતોરાત ઝૂંટવી લીધો. મતદારોને બોલાવવા માટે ગાંધીનું નામ પણ ચોરી લીધું.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">