PM Kisan Yojana: ખાતામાં 23મો હપ્તો ના આવ્યો હોય તો ગભરાશો નહીં, આ રીતે લિસ્ટમાં નામ ચેક કરો અને અહીં નોંધાવો ફરિયાદ

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM KISAN) યોજનાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થયા છે પરંતુ હજુ પણ ઘણા એવા ખેડૂતો છે કે, જેમના ખાતામાં આ પૈસા પહોંચ્યા નથી.

PM Kisan Yojana: ખાતામાં 23મો હપ્તો ના આવ્યો હોય તો ગભરાશો નહીં, આ રીતે લિસ્ટમાં નામ ચેક કરો અને અહીં નોંધાવો ફરિયાદ
| Updated on: Jun 23, 2026 | 4:27 PM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM KISAN) યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે 20 જૂનના રોજ ખેડૂતોના ખાતામાં 23મો હપ્તો જાહેર કરી દીધો છે. આ હપ્તા હેઠળ પાત્ર ખેડૂતોને ₹2000 ની આર્થિક સહાય સીધી બેંક ખાતામાં મોકલવામાં આવી છે.

સરકારના જણાવ્યા અનુસાર, આ વખતે 9.44 કરોડથી વધુ ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી ₹ 18,880 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી છે. આમાં 2.18 કરોડથી વધુ મહિલા ખેડૂતો પણ જોડાયેલ છે.

જો કે, કેટલાક ખેડૂતોના ખાતામાં હજુ સુધી પૈસા પહોંચ્યા નથી. આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને લાભાર્થીઓની યાદીમાં પોતાનું નામ પણ સરળતાથી ચકાસી શકે છે.

કયા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે?

PM KISAN યોજના અંતર્ગત એવા ખેડૂતોને લાભ આપવામાં આવે છે, જેમનું નામ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા PM Kisan પોર્ટલ પર નોંધવામાં આવ્યું હોય. જો કોઈ પાત્ર ખેડૂતને કોઈ ટેકનિકલ કારણ અથવા દસ્તાવેજ સંબંધિત સમસ્યાને લીધે હપ્તો ન મળી શક્યો હોય, તો સમસ્યા દૂર થયા પછી તેના બાકી રહેલા હપ્તા પણ જાહેર કરી શકાય છે. જો કે, યોજના માટે અપાત્ર જાહેર કરાયેલા ખેડૂતોને આનો લાભ મળતો નથી.

પૈસા ન આવ્યા હોય તો ફરિયાદ ક્યાં કરવી?

જો તમે પાત્ર છો અને તમારા ખાતામાં 23મા હપ્તાની રકમ નથી પહોંચી, તો તમે PM Kisan હેલ્પડેસ્કનો સંપર્ક કરી શકો છો.

ફરિયાદ નોંધાવવા માટેના વિકલ્પો:

  • ઈમેલ: pmkisan-ict@gov.in
  • ઈમેલ: pmkisan-funds@gov.in
  1. હેલ્પલાઈન નંબર: 011-24300606
  2. હેલ્પલાઈન નંબર: 155261
  3. ટોલ ફ્રી નંબર: 1800-115-526

ફરિયાદ કરતી વખતે પોતાનો આધાર નંબર, મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતો સાથે રાખો; જેથી સમસ્યાનું નિવારણ ઝડપથી થઈ શકે.

લાભાર્થી યાદીમાં પોતાનું નામ કેવી રીતે જોવું?

જો તમે જાણવા માંગો છો કે, તમારું નામ PM Kisan યોજનામાં નોંધાયેલું છે કે નહીં, તો આ પ્રક્રિયા અપનાવો:

  1. PM Kisan ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. હોમપેજ પર આપેલા ‘Beneficiary Status’ વિકલ્પ પર ક્લિક કરો.
  3. આધાર નંબર, બેંક ખાતા નંબર અથવા મોબાઈલ નંબરમાંથી કોઈ એક પસંદ કરો.
  4. હવે પૂછવામાં આવેલી માહિતી ભરો.
  5. ‘Get Data’ પર ક્લિક કરો.
  6. આ પછી સ્ક્રીન પર તમારી લાભાર્થીની સ્થિતિ (Status) અને હપ્તાઓની માહિતી જોવા મળી જશે.

PM Kisan યોજના દેશના કરોડો ખેડૂતો માટે મહત્વપૂર્ણ આર્થિક સહાયનું માધ્યમ બની રહી છે. એવામાં જે ખેડૂતોને આ વખતે રકમ નથી મળી, તેઓ વહેલી તકે પોતાની માહિતી ચકાસે અને જરૂર પડે તો ફરિયાદ નોંધાવે.

ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો, વારંવાર ટેકનિક ખામીથી ખેડૂતોએ જૂની પદ્ધતિથી વિતરણ ની કરી માગ- Video

Published On - 4:26 pm, Tue, 23 June 26

Follow Us