આજે અમે આપને ભારતીય બંધારણની કેટલીક એવી વિશેષતાઓ અને ખૂબીઓ જણાવીશું કે જેનાથી કદાચ આપ અત્યાર સુધી અજાણ હશો.
ભારતીય બંધારણમાં કુલ 22 ભાગો છે. દરેક ભાગ એક તસવીર સાથે શરુ થાય છે. આ તસવીરોમાં રાવણ વધથી લઈ સીતાને પરત અયોધ્યા લઈ જતા રામ અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ સુધીની તસવીરો છે. આ તસવીરો શાંતિ નિકેતનના આચાર્ય નંદલાલ બોસ તથા તેમના વિદ્યાર્થીઓએ તૈયાર કરી હતી..
મૌલિક અધિકારો દર્શાવતા બંધારણના ત્રીજા ભાગની શરુઆત ત્રેતા યુગની તસવીર સાથે થાય છે કે જેમાં રાવણને હરાવી ભગવાન રામ સીતાજીને લંકાથી અયોધ્યા લઈ જઈ રહ્યા છે. તેમાં લક્ષ્મણ પણ છે.
બંધારણમાં રાજ્યના નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દર્શાવવા માટે મહાભારતના યુદ્ધથી પહેલા અર્જુન અને કૃષ્ણના સંવાદની તસવીરનો ઉપયોગ કરાયો છે. આ આર્ટવર્ક બંધારણના અધ્યાય 4ની શરુઆતમાં છે.
બંધારણના 5મા ભાગની ઊપર ભગવાન બુદ્ધના આત્મજ્ઞાન પ્રાપ્તિની તસવીર છે. આ ભાગનો શીર્ષક સંઘ છે. આ ભાગમાં રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ભૂમિકા સાથે જોડાયેલા નિયમો આપવામાં આવ્યાં છે.
અનુસૂચિત જાતિ તથા જનજાતિય વિસ્તારો વિશેનું વર્ણન બંધારણના દસમા ભાગ ગુપ્તકાલીન નાલંદ વિશ્વવિદ્યાલયની શરુઆતથી થાય છે. નાલંદામાં આખી દુનિયાના લોકો ભણવા આવતા હતાં.
બંધારણનો 14મો ભાગ અકબરના દરબારની ઝલક રજૂ કરે છે. તેમાં બાદશાહ અકબર, દરબારીઓ અને ચંવર હલાવતા સેવકો છે. આ ભાગ કેન્દ્ર અને રાજ્યોને આધીન સેવાઓનો ઉલ્લેખ કરે છે.
બંધારણના 18મા ભાગમાં મહાત્મા ગાંધીની નોઆખલી યાત્રાથી જોડાયેલી તસવીર છે. રમખાણો દરમિયાન સાંપ્રદાયિક સદ્ભાવનાનું પ્રતિનિધિત્વ કરતી આ તસવીર ઇમર્જન્સીની જોગવાઇઓના ઉલ્લેખથી પહેલા છે.
[yop_poll id=813]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 4:38 am, Sat, 26 January 19