Amravati Murder Case: ઉમેશ કોલ્હે હત્યાકાંડનું PFI કનેક્શન, NIAની પુછપરછમાં ખુલ્યા ઘણા રહસ્ય

|

Jul 06, 2022 | 5:03 PM

નાગપુરથી ઉમેશ કોલ્હે હત્યા કેસના કથિત મુખ્ય આરોપી ઈરફાન ખાન (32)ની અમરાવતી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે શનિવારે સાંજે ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર ડૉ. આરતી સિંહે જણાવ્યું હતું કે ઈરફાન ખાને ઉમેશ કોલ્હેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આમાં અન્ય લોકો પણ સામેલ હતા.

Amravati Murder Case: ઉમેશ કોલ્હે હત્યાકાંડનું PFI કનેક્શન, NIAની પુછપરછમાં ખુલ્યા ઘણા રહસ્ય
Umesh Kolhe Murder Case
Image Credit source: File Image

Follow us on

NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ આજે ​​મહારાષ્ટ્રના (Maharashtra) અમરાવતીમાં ઉમેશ કોલ્હે હત્યા કેસમાં તમામ સાત આરોપીઓની પૂછપરછ કરી હતી. આરોપીની પૂછપરછમાં પીએફઆઈ (Popular Front of India) કનેક્શન સામે આવ્યું છે. જણાવી દઈએ કે ઉમેશ કોલ્હે હત્યા કેસમાં (Umesh Kolhe Murder Case) ધરપકડ કરાયેલા સાત આરોપીઓને જિલ્લા અદાલતે સોમવારે 8 જુલાઈ સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર જેલમાં મોકલી દીધા છે. આ પછી NIAને હત્યા કેસમાં તમામ સાત આરોપીઓની કસ્ટડી આપવામાં આવી છે. હાલમાં NIA આરોપીની પૂછપરછ કરી રહી છે.

જણાવી દઈએ કે ઉમેશ કોલ્હેની 21 જૂનની રાત્રે લગભગ 10.30 વાગ્યે અમરાવતીના શ્યામ ચોક વિસ્તારમાં ઘંટાઘર પાસે ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ કમિશનર આરતી સિંહે જણાવ્યું હતું કે અમરાવતી પોલીસને નૂપુર શર્માને સમર્થન આપતી સોશિયલ મીડિયા પોસ્ટ અને કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા વચ્ચેની લિંક વિશે જાણ થઈ હતી, પરંતુ આ મામલો ખૂબ જ સંવેદનશીલ હોવાથી અગાઉ તેનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. તેણે કહ્યું હતું કે પોલીસે કોઈ અનિચ્છનીય બનાવ ટાળવા માટે અગાઉ તેનો ખુલાસો કર્યો ન હતો.

મુખ્ય આરોપીની પણ ધરપકડ

નાગપુરથી ઉમેશ કોલ્હે હત્યા કેસના કથિત મુખ્ય આરોપી ઈરફાન ખાન (32)ની અમરાવતી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે શનિવારે સાંજે ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર ડૉ. આરતી સિંહે જણાવ્યું હતું કે ઈરફાન ખાને ઉમેશ કોલ્હેની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આમાં અન્ય લોકો પણ સામેલ હતા.

આ પણ વાંચો

NIA આ કેસની તપાસ કરી રહી છે

આ કિસ્સામાં NIA તપાસના કેન્દ્રનો આ નિર્ણય નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કેમિસ્ટની હત્યા થઈ શકે છે તેવી આશંકાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અમરાવતી સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે ઉમેશની અમરાવતી શહેરમાં દવાની દુકાન હતી. તેણે કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ શેયર કરી હતી. ઉમેશે ભૂલથી આ પોસ્ટ એક વોટ્સએપ ગ્રુપમાં મોકલી હતી, જેમાં અન્ય સમુદાયના સભ્યો પણ હતા.

આ આરોપીઓની ધરપકડ

ધરપકડ કરાયેલા સાત આરોપીઓમાં મુદસ્સર અહેમદ (22), શાહરૂખ પઠાણ (25), અબ્દુલ તૌફીક (24), શોએબ ખાન (22), અતીબ રશીદ (22) અને ડો. યુસુફ ખાન બહાદુર ખાન (44) અને કથિત મુખ્ય ષડયંત્રકર્તા શેખ ઈરફાન શેખ રહિમ છે. પોલીસ આ કેસમાં અન્ય એક આરોપી શમીમ અહેમદને પણ શોધી રહી છે.

Published On - 5:01 pm, Wed, 6 July 22

Next Article