Amravati murder case: ઉમેશ કોલ્હે હત્યા કેસ NIAને ટ્રાન્સફર, ધરપકડ કરાયેલા તમામ 7 આરોપીઓને 8મી જુલાઈએ મુંબઈ કોર્ટમાં સુનાવણી
અમરાવતી પોલીસે (Amravati police) ઉમેશ કોલ્હે હત્યા કેસના કથિત મુખ્ય આરોપી ઈરફાન ખાન (32)ની શનિવારે સાંજે નાગપુરથી ધરપકડ કરી હતી. સાથે જ NIAને હત્યા કેસમાં તમામ 7 આરોપીઓની કસ્ટડી આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં (Maharashtra) અમરાવતી હત્યાકાંડને કારણે લોકોમાં પણ ભારે નારાજગી છે. ઉમેશ કોલ્હેના પરિવારને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આવી સ્થિતિમાં હવે હત્યા કેસની તપાસ સંપૂર્ણપણે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. તે જ સમયે, અમરાવતીના ઉમેશ કોલ્હે હત્યા કેસમાં ધરપકડ કરાયેલા સાત આરોપીઓને જિલ્લા અદાલતે સોમવારે 8 જુલાઈ સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડમાં જેલમાં મોકલી દીધા છે. આ પછી, NIAને હત્યા કેસમાં તમામ 7 આરોપીઓની કસ્ટડી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ઉમેશની 21 જૂનની રાત્રે લગભગ 10.30 વાગ્યે અમરાવતીના શ્યામ ચોક વિસ્તારમાં ઘંટાઘર પાસે ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી.
અમરાવતી પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે શનિવારે સાંજે નાગપુરથી ઉમેશ કોલ્હે હત્યા કેસના કથિત મુખ્ય આરોપી ઈરફાન ખાન (32)ની ધરપકડ કરી હતી. જ્યાં અમરાવતી પોલીસ કમિશનર ડૉ. આરતી સિંહે જણાવ્યું કે ઈરફાન ખાને કથિત રીતે મેડિકલ સ્ટોર ચલાવતા ઉમેશ પ્રહલાદરાવ કોલ્હે (54)ની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં અન્ય લોકો સામેલ હતા. તે જ સમયે 21 જૂનની મોડી રાત્રે ઉમેશને છરીના ઘા મારીને ઘટનાને અંજામ આપ્યો હતો.
આરોપીઓને અમરાવતી કોર્ટમાં રજૂ કર્યા બાદ 4 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મળ્યા
Maharashtra | Umesh Kolhe murder case: All 7 accused granted 4-days transit remand after being produced before the Amravati court.
Amravati Police to present all accused before NIA’s Mumbai court on or before July 8.
— ANI (@ANI) July 4, 2022
ઉમેશ કોલ્હે હત્યા કેસમાં NIA અમરાવતી પહોંચી
મેડિકલ સ્ટોર ચલાવતા ઉમેશ કોલ્હેની હત્યા કેસની તપાસના સંદર્ભમાં NIAની એક ટીમ શનિવારે મહારાષ્ટ્રના અમરાવતી શહેર પહોંચી હતી. તમને જણાવી દઈએ કે NIA તપાસ માટે કેન્દ્રનો આ નિર્ણય એ આશંકાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે કે કેમિસ્ટની હત્યા ભાજપમાંથી નિલંબિત રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પોસ્ટના કારણે થઈ શકે છે. અમરાવતી સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, ઉમેશની અમરાવતી શહેરમાં દવાની દુકાન હતી. તેણે કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી. ઉમેશે ભૂલથી આ પોસ્ટ વોટ્સએપ ગ્રુપમાં મોકલી હતી જેમાં અન્ય સમુદાયના સભ્યો પણ હતા.
પોલીસને ઘણી મહત્વની કડીઓ મળી છે
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેશ કોલ્હેની હત્યામાં સામેલ તેના મિત્ર યુસુફ ખાન વિશે માહિતી બહાર આવી છે. પોલીસને ઉમેશની વેટરનરી મેડિકલ શોપમાંથી એક ડાયરી મળી છે, જેમાં ઉમેશે કેટલી દવાઓ ઉછીના આપી છે તેનો હિસાબ આપ્યો છે. આ ડાયરી મુજબ ડૉ.યુસુફ ખાને ઉમેશ કોલ્હે પાસેથી 2 લાખ રૂપિયાની દવાઓ ઉછીના લીધી હતી. આ ઉપરાંત પોલીસ હત્યામાં સંડોવાયેલા બાઇક અને કારની પણ શોધ કરી રહી છે.