કોરોનાના સંકટકાળમાં આ વર્ષે યોજાનારી અમરનાથ યાત્રા પર રોક લગાવવાની માગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજી અમરનાથ બર્ફાની લંગર સંગઠને દાખલ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે યાત્રામાં વર્ષે 10 લાખથી વધારે ભક્તો આવે છે. જેનાથી તેમાં કોવિડ-19 ફેલાવવાનો ખતરો રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અરજીમાં માગ કરવામાં આવી છે કે યાત્રા પર રોક લગાવવાની સાથે જ સરકાર ઈન્ટરનેટ અને ટીવી ચેનલો દ્વારા અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના લાઈવ દર્શનની વ્યવસ્થા કરાવે. જેથી કોરોના સંકટમાં લોકો દર્શન કરી શકે.
લંગર ઓર્ગેનાઈઝેશને અરજીમાં કહ્યું કે યાત્રા પર રોક લગાવવો શ્રદ્ધાળુઓના હિતમાં પણ છે. અરજીમાં સલાહ આપવામાં આવી છે કે હાલની સ્થિતીને જોતા શ્રદ્ધાળુઓ માટે અને તંત્ર માટે યાત્રા કરાવવી યોગ્ય નથી. તેમાં પોલીસ, સુરક્ષાદળ, શ્રમિક, ઘોડાવાળા, સામાનવાળા અને દુકાનદારોનું એક જગ્યાએ ભેગા થવું યોગ્ય નથી. તેથી યાત્રા આ વર્ષે આયોજિત ના થવી જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો