
છેલ્લા એક સપ્તાહથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. જેમા 15 ઓક્ટોબરે સીઝફાયર કરવામાં આવ્યુ હતુ. તો એ સીઝફાયરની સમય મર્યાદા પૂર્ણ થાય તેની 48 કલાક પહેલા જ પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરી દીધો અને અફઘાનિસ્તાનના પકટિકા પ્રાંતમાં ગોળીબાર કર્યો. જેમા ત્રણ અફઘાની ક્રિકેટર સહિત 10 લોકોના મોત થયા છે. પાકિસ્તાને આ સમગ્ર ઘટનાક્રમ માટે ભારતને જવાબદાર ઠેરવ્યુ છે. પાકિસ્તાને એવો આરોપ લગાવ્યો કે અફઘાનિસ્તાન ભારત તરફથી પ્રોક્સી વોર કરી રહ્યુ છે. એટલે ભારત બળજબરથી અફઘાનિસ્તાનના માઘ્યમથી પાકિસ્તાનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યુ છે. ખ્વાજા આસિફની ધમકી: ટુ ફ્રન્ટ વોર માટે ભારત તૈયાર રહે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યુ કે ‘આગામી ટુ ફ્રન્ટ વોર’ માટે ભારત પણ તૈયાર રહે. કારણ કે આવનારા સમયમાં આ વસ્તુઓ આગળ વધીને સામે આવી શકે છે. કૂલ મળીને અફઘાની વિદેશમંત્રી મુત્તકી સાત દિવસની ભારત યાત્રાએ આવ્યા અને ભારતના વિદેશમંત્રી સાથે તેમણે મુલાકાત કરી તો આ મુલાકાતને માધ્યમ બનાવીને પાકિસ્તાન આરોપ લગાવી રહ્યુ છે કે ભારતથી...
Published On - 5:20 pm, Mon, 20 October 25