જાન્યુઆરીની શરૂઆતમાં ભારતીય તીર્થયાત્રીઓ હવાઈ માર્ગે પાકિસ્તાન પહોંચ્યા પછી, પાકિસ્તાની પ્રવાસીઓ પણ 75 વર્ષમાં પ્રથમ વખત પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA) ની વિશેષ ફ્લાઇટમાં 29 જાન્યુઆરીએ ભારત પહોંચશે. અત્યાર સુધી તીર્થયાત્રીઓ અથવા પ્રવાસીઓ પગપાળા અથવા સમજૌતા એક્સપ્રેસ (Samjhauta Express) દ્વારા એકબીજાના દેશોમાં જતા હતા. નેશનલ એસેમ્બલી સભ્ય અને પાકિસ્તાન હિંદુ પરિષદના પ્રમુખ રમેશ કુમારના જણાવ્યા અનુસાર, બંને પાડોશી દેશો વચ્ચે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે PIA અને એર ઈન્ડિયા (AIR India) વચ્ચે સમજૂતી થઈ હતી.
કરાર મુજબ, બંને એરલાઇન્સ આ સંદર્ભે વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કરશે. પાકિસ્તાની પ્રવાસીઓનું એક જૂથ 29 જાન્યુઆરીએ લાહોર એરપોર્ટથી રવાના થશે અને 1 ફેબ્રુઆરીએ પાકિસ્તાન પરત ફરશે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, જૂથ અજમેર શરીફ, જયપુર, આગ્રા, મથુરા, અજમેરમાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ અને દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઓલિયા દરગાહની મુલાકાત લેશે.
ડો. રમેશે કહ્યું કે દરેક યાત્રાળુએ યાત્રા પર $1,500 (રૂ. 1 લાખથી વધુ) ખર્ચવા પડશે. જો તેઓ આગ્રા અને દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન અલગ રૂમ ઈચ્છે છે, તો તેમણે આ માટે વધારાના 200 ડોલર એટલે કે લગભગ 15 હજાર રૂપિયા ચૂકવવા પડશે. 1974માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા કરાર મુજબ તીર્થયાત્રીઓ બંને દેશોના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ શકે છે. વક્ફ પ્રોપર્ટી બોર્ડ અને ધાર્મિક બાબતોનું મંત્રાલય યાત્રાળુઓની અવરજવર માટે વ્યવસ્થા કરે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિવહન માટે હજુ પણ એર કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી. સમજૌતા એક્સપ્રેસ ટ્રેન ભારત તરફ દિલ્હી (Delhi) થી અટારી (Atari) અને પાકિસ્તાન બાજુ લાહોર (Lahor) થી વાઘા (Wagha) સુધી ચાલે છે. 1974ના ભારત-પાકિસ્તાન પ્રોટોકોલ ઓન વિઝિટ ટુ રિલિજિયસ પ્લેસિસ મિકેનિઝમ હેઠળ, ભારતમાંથી મોટી સંખ્યામાં શીખ યાત્રાળુઓ પાકિસ્તાનમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લે છે. એ જ રીતે પાકિસ્તાની નાગરિકો પણ ભારતમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા આવે છે.
આ પણ વાંચો: Pakistan: આયશા મલિક પાકિસ્તાન સુપ્રીમ કોર્ટની પ્રથમ મહિલા જજ બની, તેમના આ નિર્ણયની વિશ્વભરમાં થઈ હતી પ્રશંસા
આ પણ વાંચો: Vladimir Putin: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પહેલી Pakistan મુલાકાત, મોસ્કો અને ઈસ્લામાબાદ વચ્ચે મંત્રણા શરૂ