Breaking News : રાત પડતાજ પાકિસ્તાને પંજાબના 7 જિલ્લાઓ પર કર્યો હુમલો, ફિરોઝપુરમાં એક જ પરિવારના ઘણા સભ્યો દાઝયા

પાકિસ્તાને રાત્રે પંજાબના સાત જિલ્લાઓ પર ડ્રોનથી હુમલો કર્યો. ફિરોઝપુર, અમૃતસર, અને અન્ય જિલ્લાઓમાં ડ્રોન દેખાયા. ભારતીય સેનાએ ઘણા ડ્રોનને તોડી પાડ્યા

Breaking News : રાત પડતાજ પાકિસ્તાને પંજાબના 7 જિલ્લાઓ પર કર્યો હુમલો, ફિરોઝપુરમાં એક જ પરિવારના ઘણા સભ્યો દાઝયા
| Updated on: May 09, 2025 | 10:38 PM

અંધારું થતાં જ પાકિસ્તાને પંજાબના 7 જિલ્લાઓ પર હુમલો કર્યો. ફિરોઝપુર, ફાઝિલ્કા, અમૃતસર, તરનતારન, હોશિયારપુર, ગુરદાસપુર અને પઠાણકોટમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. પાકિસ્તાન સતત ડ્રોન મોકલી રહ્યું છે.

આકાશમાં સતત વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યો છે. આનો યોગ્ય જવાબ આપતા, સેનાની સંરક્ષણ પ્રણાલીએ આકાશમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવાનું શરૂ કરી દીધું છે. ભારતીય સેનાએ પંજાબના અમૃતસરમાં 4 અને રાજસ્થાનના જેસલમેરમાં 2 પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે.

ગુરદાસપુરના ડેરા બાબા નાનકમાં પણ જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. કરતારપુર કોરિડોર પાસે પણ વિસ્ફોટ થયો છે. ફિરોઝપુરમાં એક રહેણાંક વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં એક પરિવારના ત્રણ સભ્યો ઘાયલ થયા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલા વચ્ચે, પઠાણકોટ, ફિરોઝપુર, અમૃતસર, ગુરદાસપુર, હોશિયારપુર, જલંધર, ફાઝિલ્કા, પટિયાલા, ફરીદકોટ, ફતેહગઢ સાહિબ અને ભટિંડામાં પણ બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના 6 સેક્ટર પર હુમલો

પાકિસ્તાન પોતાની હરકતોથી પાછળ નથી હટતું. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના છ સેક્ટર – ઉરી, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ અને પૂંછમાં પણ ગોળીબાર શરૂ કરી દીધો છે. પંજાબના ફિરોઝપુરમાં મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. જમ્મુ, સાંબા, પઠાણકોટમાં પણ ડ્રોન હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ સરહદના વિસ્તારોમાં અમૃતસર, પઠાણકોટ, જમ્મુ, શ્રીનગર, અંબાલા, જેસલમેર, જોધપુર, બિકાનેર સહિત બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે.

ઓપરેશન સિંદુર તેમજ ભારત પાકિસ્તાન ને લગતા અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો 

 

Published On - 10:31 pm, Fri, 9 May 25