વડાપ્રધાન મોદીને મળેલી 2700થી વધારે ભેટની હરાજી કરવામાં આવશે. સંસ્કૃતિ મંત્રી પ્રહ્લાદ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીને મળેલી 2700થી વધારે ભેટની હરાજી કરવામાં આવશે અને આ હરાજી 14 સપ્ટેમ્બરથી શરૂ થશે.
પ્રહ્લાદ પટેલે જણાવ્યું કે વડાપ્રધાન મોદીને મળેલી કુલ 2772 ભેટની ઓનલાઈન હરાજી કરવામાં આવશે. તેમને જણાવ્યું કે આ ભેટ માટે ઓછામાં ઓછી બોલી 200 રૂપિયા અને વધારેમાં વધારે બોલી 2.5 લાખ રૂપિયા સુધી રાખવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ વર્ષે જાન્યુઆરીમાં વડાપ્રધાન મોદીને મળેલી 1800થી વધારે ભેટની ઓનલાઈન હરાજી કરવામાં આવી હતી. પ્રહ્લાદ પટેલે વધુમાં જણાવ્યું કે જાન્યુઆરીમાં 15 દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં તમામ ભેટની હરાજી થઈ હતી. મંત્રીએ વધુમાં જણાવ્યું કે આ હરાજીથી મળેલી તમામ રકમને કેન્દ્ર સરકારના સ્વચ્છ ગંગા અભિયાન હેઠળ નમામિ ગંગે પરિયોજનામાં દાનમાં આપવામાં આવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]