જમ્મૂ-કાશ્મીર પ્રવાસ પર આવેલા યુરોપીયન સાંસદોએ પત્રકાર પરિષદ યોજી હતી. ડેલિગેશન તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત એક શાંતિપ્રિય દેશ છે અને કાશ્મીરના લોકોને ખુબ વિશ્વાસ છે. પત્રકાર પરિષદમાં EU સાંસદોએ કહ્યું કે અમારા પ્રવાસને રાજકીય રીતે જોવામાં આવી રહ્યો છે. જે બિલકુલ સારૂ નથી. અમે માત્ર કાશ્મીરમાં સ્થિતીની જાણકારી લેવા માટે આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સાંસદોએ આતંકવાદના મુદ્દા પર કહ્યું કે અમે આતંકવાદની વિરૂદ્ધની લડાઈમાં સાથે છીએ. આતંકવાદનો મુદ્દો યૂરોપ માટે પણ ખુબ મહત્વપૂર્ણ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે આ પ્રવાસનો રિપોર્ટ યૂરોપીય સંસદમાં જમા કરશે તો તેમને કહ્યું કે તે એવું નહીં કરે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો