AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Operation Kaveri 2023: સુદાનથી અત્યાર સુધીમાં 798 ભારતીયો પરત ફર્યા, દિલ્હી પહોચતા લોકોએ નરેન્દ્ર મોદી જિંદાબાદના લગાવ્યા નારા, જુઓ દિલધડક VIDEO

અત્યાર સુધીમાં 798 ભારતીય નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાનું એક C-130J લશ્કરી પરિવહન વિમાન ગુરુવારે 128 ભારતીયો સાથે જેદ્દાહ પહોંચ્યું હતું. તે જ સમયે, 360 નાગરિકો ગઈકાલે રાત્રે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા જેદ્દાહથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2023 | 3:41 PM
Share

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો સામસામે છે અને બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હાલમાં 72 કલાક માટે યુદ્ધવિરામ ચાલી રહ્યો છે. આ દરમિયાન ભારતે સુદાનમાંથી તેના નાગરિકોને બહાર કાઢવા માટે મોટા પાયા પર પ્રયાસો તેજ કર્યા છે. ત્યારે ભારતીયોને પરત લાવવા ઓપરેશન કાવેરી ચલાવામાં આવી રહ્યું છે.

જેમાં અત્યાર સુધીમાં 798 ભારતીય નાગરિકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. ભારતીય વાયુસેનાનું એક C-130J લશ્કરી પરિવહન વિમાન ગુરુવારે 128 ભારતીયો સાથે જેદ્દાહ પહોંચ્યું હતું. તે જ સમયે, 360 નાગરિકો ગઈકાલે રાત્રે કોમર્શિયલ ફ્લાઈટ દ્વારા જેદ્દાહથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યા હતા.

ઓપરેશન કાવેરી દ્વારા ભારતીયો પરત લવાયા

દિલ્હી પહોંચતાની સાથે જ આ નાગરિકોએ ભારત માતા, નરેન્દ્ર મોદી, ભારતીય વાયુસેનાના નારા લગાવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું કે તમામ ભારતીય નાગરિકોનું દિલ્હી પરત ફરવા પર સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે પ્રથમ ફ્લાઈટમાં 360 ભારતીય નાગરિકો ઘરે પરત ફર્યા છે. સુદાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સૌ પ્રથમ તેમને સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી, ત્યાંથી કેટલાક દિલ્હી લઈ જવામાં આવ્યા હતા.

પ્રથમ બેચમાં 278 ભારતીયો પરત આવ્યા

ભારતે જેદ્દાહમાં ટ્રાન્ઝિટ સુવિધા સ્થાપી છે અને વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન સ્થળાંતર મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે. મંગળવારે 278 ભારતીયોની પ્રથમ બેચ બહાર કાઢવામાં આવી હતી. ભારતીય નૌકાદળના જહાજ INS સુમેધાને સુદાન બંદરેથી બહાર કાઢવામાં આવ્યું હતું. સુદાનની સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે 72 કલાકના યુદ્ધવિરામ પર સહમત થયા બાદ ભારતે ખાલી કરાવવાની કામગીરી ઝડપી કરી હતી.

સુદાન યુદ્ધમાં લગભગ 400 લોકોના મોત

સૂત્રોનું કહેવું છે કે ભારતીય વાયુસેનાનું મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-17 બુધવારે જેદ્દાહથી મુંબઈ માટે રવાના થયું હતું. આ ફ્લાઈટ આજે મુંબઈ પહોંચશે. ભારતે તેના નાગરિકોના સ્થળાંતર માટેની આકસ્મિક યોજનાના ભાગરૂપે જેદ્દાહમાં ભારતીય વાયુસેનાના બે લશ્કરી પરિવહન વિમાન અને પોર્ટ સુદાનમાં નૌકાદળના જહાજ INS સુમેધા તૈનાત કર્યા હતા. સુદાનની સેના અને આરએસએફ વચ્ચે ઘાતક લડાઈ ચાલી રહી છે. આ લડાઈમાં લગભગ 400 લોકોના મોત થયા છે. રસ્તાઓ પર ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહો જોવા મળી રહ્યા છે.

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">