દેશમાં ઓમિક્રોન કોરોના વેરિઅન્ટ (Omicron Corona Variant)ના વધતા જોખમ વચ્ચે CSIR ઈન્સ્ટિટ્યૂટ ઑફ જીનોમિક એન્ડ ઈન્ટિગ્રેટિવ બાયોલોજીના ડાયરેક્ટર ડૉ. અનુરાગ અગ્રવાલનું કહેવું છે કે કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. તેમણે કહ્યું છે કે કોરોના મહામારીની ત્રીજી લહેર સંક્રમણની વધતી સંખ્યાના સંદર્ભમાં ચોક્કસપણે આવશે, પરંતુ આરોગ્ય સંભાળ પ્રણાલી પર દબાણના સંદર્ભમાં વિનાશક હોવું જોઈએ નહીં.
બાળકો વિશે વાત કરતી વખતે ડૉ. અનુરાગ અગ્રવાલે કહ્યું “બાળકોને હંમેશા સંક્રમણનું જોખમ રહે છે. ભારતના આંકડા દર્શાવે છે કે બાળકો પુખ્ત વયના લોકોની જેમ લગભગ તેટલા જ દરથી સંક્રમિત થયા છે.” તેમણે કહ્યું કે બાળકોમાં ગંભીર રોગનું જોખમ ઓછું રહેશે, પરંતુ સંક્રમણની નોંધપાત્ર સંખ્યાને જોતાં કેટલાકમાં હંમેશા ગંભીર રોગને વિકસાવશે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે અત્યારે શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો હાઈબ્રિડ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો છે, જે વસ્તીનો સૌથી મોટો સમૂહ છે. ડૉ. અનુરાગ અગ્રવાલનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને ભયનું વાતાવરણ છે. જો કે તબીબોનું કહેવું છે કે આગામી એક-બે સપ્તાહમાં આ અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. પરંતુ અત્યારે તેનાથી ડરવાને બદલે સાવધ રહેવાની જરૂર છે.
બીજી તરફ નિષ્ણાતો માને છે કે તેને રોકવું માત્ર મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના નાણા સચિવ ડૉ. અનિલ ગોયલે અમારી સહયોગી ચેનલ TV9 Bharatvarsh સાથે વાતચીત કરતા કહ્યું કે તેને રોકવાની વાત કરવી અર્થહીન હશે.
વધુ મહત્વની બાબત એ છે કે તેની સારવાર કેવી રીતે કરવી અને અન્ય પાસાઓ પર ધ્યાન આપવું. AIIMSના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સંજય રાયે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે વાયરસની પ્રકૃતિ શું છે તેના કરતાં આપણે હોસ્પિટલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કેવી રીતે સુધારી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ.
આ પણ વાંચો : Parliament Session: કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે રાજ્યસભામાં કહ્યું- યુપી સહિત દેશભરના ખેડૂતોની આવક સતત વધી રહી છે