પુડુચેરીમાં ( Puducherry) કોરોનાના કેસ (Corona’s case) ઝડપથી વધતા વહીવટીતંત્ર દ્વારા નવી માર્ગદર્શિકા હેઠળ, તમામ મોલ, બજારોને 50 % થી વધુ ક્ષમતાએ કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એટલે કે 50 ટકાથી વધુ લોકો ના હોવા જોઈએ. વધુમાં સત્તાવાર આદેશ અનુસાર. ઇન્ટ્રા અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ, સિનેમા, જીમ, સલુન્સ, પાર્લર, ઓડિટોરિયમ પણ 50 % ની ક્ષમતાએ કામ કરવુ પડશે, સત્તાવાર આદેશ અનુસાર.
પુડુચેરીમાં છેલ્લા 24 કલાકમાં 129 ઉમેરવામાં આવતા તાજા કોરોનાવાયરસ કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો છે. પુડુચેરીમાં બુધવારે 73 અને મંગળવારે 66 નવા ચેપ નોંધાયા હતા.
ગુરુવારે સવારે 10 વાગ્યે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં 129 નવા કેસ સામે આવતાં કુલ આંકડો 1,29,821 પર પહોંચી ગયો છે. જ્યારે પુડુચેરી પ્રદેશ (કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની) માં 84 નવા કેસ નોંધાયા છે, કરાઈકલમાં 36, માહેમાં આઠ અને યાનમમાં એક કેસ નોંધાયો છે.
દેશના લગભગ તમામ રાજ્યોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 સંબંધિત ટેસ્ટિંગ વધારવા માટે કહ્યું છે. જેથી આ દર્દીઓ અન્યને સંક્રમણ ના ફેલાવી શકે. તમિલનાડુ, પંજાબ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મિઝોરમ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર અને બિહારને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાએ વધતા જતા કોરોનાના કેસોને કારણે કોવિડના ઓછા ટેસ્ટિંગ તરફ ધ્યાન દોર્યું છે અને લખ્યું છે કે આ ચિંતાનું કારણ છે. ટેસ્ટિગ વધારવા ઉપર ભાર મૂકવા પણ જણાવ્યુ છે.
આ ઉપરાંત, તેમણે પત્રમાં લખ્યું છે કે જાણવા મળ્યું છે કે નવા કેસ અને સંક્રમણ દરમાં વધારાને કારણે, કોવિડ 19 પરીક્ષણ દરમાં ઘટાડો થયો છે જે ચિંતાનું કારણ છે. તેમણે રાજ્યોને પરીક્ષણ સામગ્રી, કિટ વગેરેના પર્યાપ્ત સ્ટોકની સમીક્ષા કરવા અને તેની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવા કહ્યુ છે. સાથોસાથ પરીક્ષણ સુવિધાઓથી સંબંધિત આવશ્યક વસ્તુઓ માટે નિયમિત વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ 495 નવા કેસ નોંધાયા છે, જેનાથી આ નવા પ્રકારના વેરિયન્ટ ઓમિક્રોનથી સંક્રમિત કેસોની સંખ્યા વધીને 2,630 થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ