હવે વાહનનો વીમો નહીં હોય તો નહીં મળે પેટ્રોલ-ડિઝલ-ગેસ ? સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે, શરૂ કરાશે પાયલોટ પ્રોજેક્ટ

માર્ગ સલામતી અંગે સૂચનો આપતાં, સુપ્રીમ કોર્ટે, કેન્દ્ર સરકારને 'વીમો નહીં, તો ઈંધણ નહીં' પાયલોટ પ્રોજેક્ટ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. દેશમાં આશરે 56 ટકા વાહનો હાલમાં વીમા વિના ચાલે છે.

હવે વાહનનો વીમો નહીં હોય તો નહીં મળે પેટ્રોલ-ડિઝલ-ગેસ ? સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે, શરૂ કરાશે પાયલોટ પ્રોજેક્ટ
| Updated on: Aug 05, 2026 | 12:03 PM

સુપ્રીમ કોર્ટે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કોર્ટે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) અને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) ને પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ, વાહનોને તેમના વીમા સ્થિતિ સાથે જોડવામાં આવશે, જેનાથી પેટ્રોલ પંપ પર માન્ય થર્ડ પાર્ટી વીમાની ચકાસણી શક્ય બનશે. આ પાયલોટ પ્રોજેક્ટમાં, જે વાહનનો વીમો ના હોય તેવા વાહનને પેટ્રોલ, ડીઝલ કે ગેસ નહીં આપવા માટે જણાવ્યું છે.

ન્યાયાધીશ સંજય કરોલ અને ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રાની બનેલી બેન્ચે થર્ડ પાર્ટી વીમાના મહત્વ અંગે અનેક મુખ્ય નિર્દેશો જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલે બે મુખ્ય મુદ્દાઓ ઓળખ્યા: પ્રથમ, મોટર વાહન અધિનિયમ, 1988 ની કલમ 146 નું પાલન ન કરવું, જે તમામ વાહનો માટે માન્ય થર્ડ પાર્ટી વીમાને ફરજિયાત બનાવે છે અને બીજું, શું એક સમાન મોટર વાહન પોલિસી માળખું હોવું જોઈએ જે થર્ડ પાર્ટી જોખમ કવરેજ ઉપરાંત વાહનના તમામ મુસાફરોને આવરી લે.

વીમા વિના કોઈ બળતણ નહીં

સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલા મુખ્ય નિર્દેશોમાંનો એક એ સુનિશ્ચિત કરવાનો છે કે માન્ય થર્ડ પાર્ટી વીમા વિનાના વાહનો ધારકો. જ્યા સુધી વીમો ના ઉતરાવે ત્યાં સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલ, ડીઝલ કે ગેસનુ બળતણ પૂરું પાડવામાં ન આવે. બેન્ચે સ્પષ્ટ કર્યું કે આ આદેશને બદલે એક સૂચન છે.

પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવાનો નિર્દેશ

સુપ્રીમ કોર્ટમાં થયેલી ચર્ચા મુજબ, IRDAI એ MoRTH સાથે સહયોગ કરીને એક પાયલોટ પ્રોજેક્ટ પર વિચાર કરવો જોઈએ અને ઘડવો જોઈએ જે વાહનો માટે બળતણ પુરવઠાને તેમની માન્ય વીમા સ્થિતિ સાથે જોડે છે. આમાં નિષ્ફળ જવાથી, માન્ય વીમો ન મળે ત્યાં સુધી પ્રશ્નમાં રહેલા વાહનને પેટ્રોલ પંપ પર બળતણ પૂરું પાડવામાં આવશે નહીં. કોર્ટે અવલોકન કર્યું કે બળતણ રોકવાના આ પગલાથી બે ફાયદા થશે: તે વીમા વિનાના અથવા નોંધણી વગરના વાહનોને ઓળખવામાં મદદ કરશે અને વાહન માલિકોને માન્ય વીમો સુરક્ષિત કરવા માટે પ્રોત્સાહિત કરશે.

FASTag Statement: FASTag માંથી ક્યાં કપાયા પૈસા? 3 રીતે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરીને મેળવો માહિતી, સમજો દરેક સ્ટેપ

Follow Us
Loading...
Unable to load recommendations.