AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona virus update : હજુ નથી ગયો કોરોના, દેશમાં પહેલીવાર એક જ દિવસમાં 4329 દર્દીના મોત

દેશમાંથી કોરોના હજુ ગયો નથી તેનો કહેર યથાવત રહ્યો છે. કોરોનાથી થતા માનવ મૃત્યુના આંકડાએ ભારે ગભરાટ ફેલાવ્યો છે. દેશમાં પહેલીવાર કોરોનાથી મૃત્યુ પામનારાઓ દર્દીઓનો આકડો 4329 ઉપર પહોચ્યો છે. એક જ દિવસમાં પહેલીવાર 4,329 લોકોએ કોરોનાનો કાળ બની ગયા છે.

Corona virus update : હજુ નથી ગયો કોરોના, દેશમાં પહેલીવાર એક જ દિવસમાં 4329 દર્દીના મોત
દેશમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોનાથી 4329 દર્દીના મોત
| Updated on: May 18, 2021 | 12:46 PM
Share

દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેર યથાવત છે. કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો ચોક્કસ જોવા મળી રહ્યો છે. પરંતુ, કોરોનાથી થયેલા મોતનો આંક ઘટતો નથી. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ, દેશમાં કોરોના રોગચાળો વકર્યો હોવાથી, આજે પહેલીવાર, વિતેલા ચોવીસ કલાકમાં, 4,329 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2,63,533 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે મંગળવારે જાહેર કરેલા કોરોનાના તાજેતરના આંકડા મુજબ, દેશમાં સતત બીજા દિવસે ત્રણ લાખથી પણ ઓછા કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 2,63,533 કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે, દેશમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,52,28,996 પર પહોંચી ગઈ છે, છેલ્લા 28 દિવસમાં નોંધાયેલા કોરોનાના કેસની આંકડામાં આ આકડા સૌથી ઓછા છે. આ પહેલા 20 એપ્રિલના રોજ જાહેર કરાયેલા વિતેલા 24 કલાકના 2,59,170 કોરોનાના દર્દીઓ નોંધાયા હતા.

કોરોનાથી મૃત્યુનાં આંકડા દેશમાં કોરોનાનો રોગચાળો વકર્યા પછી, અત્યાર સુધીમાં પહેલીવાર એક જ દિવસમાં કોરોના સંક્રમણને કારણે 4,329 લોકોનાં મોત નીપજ્યાં છે. એક જ દિવસમાં કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની આ પણ સૌથી મોટી સંખ્યા છે. આ અગાઉ 7 મેના રોજ 4,233 લોકોનાં મોત નિપજ્યાં હતાં. દેશમાં કોવિડ19થી મૃત્યુઆંકની સંખ્યા 2,78,719 પર પહોંચી ગઈ. દેશમાં લગભગ છેલ્લા એક અઠવાડિયાથી, કોરોનાથી 4 હજારથી વધુ લોકોના મોત નિપજવાની ઘટના રોજ ચાલુ રહે છે.

છેલ્લા 24 કલાકમાં 4.22 લાખ દર્દીઓ સાજા થયા આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા કોરોનાના તાજેતરના આંકડાઓ અનુસાર, ફરી એક વખત દેશમાં સક્રિય કેસનો આંકડો નીચે આવી રહ્યો છે. તે રાહત લેવાની વાત છે કે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 4,22,436 દર્દીઓ સ્વસ્થ થયા પછી તેમના ઘરે પાછા ફર્યા છે. આ સાથે, દેશમાં 2,15,96,512 દર્દીઓએ કોરોના વાયરસને હરાવવાનું કામ કર્યું છે. દર્દીઓનો સાજા થવાનો દર 85.60 ટકા રહ્યો છે. દરરોજ નોંધાતા કોરોનાના નવા કેસોની સરખામણીએ બે મહિના પછી સાજા થતા દર્દીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ છે. હાલમાં દેશમાં, 33,53,765 કોરોનાનાસક્રિય કેસ છે.

g clip-path="url(#clip0_868_265)">