કાશ્મીરમાં ફરી બિન કાશ્મીરીઓને બનાવાયા નિશાન, બે વ્યક્તિઓ ઉપર ચલાવાઈ ગોળીઓ

|

Nov 04, 2022 | 11:30 AM

દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ શાળાના પટાવાળા સહિત બે લોકો પર ગોળીબાર કર્યો હતો. બંનેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આતંકીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કાશ્મીરમાં ફરી બિન કાશ્મીરીઓને બનાવાયા નિશાન, બે વ્યક્તિઓ ઉપર ચલાવાઈ ગોળીઓ
Kashmir, Non Kashmiris targeted (file photo)

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. એક બિહારના અને એક નેપાળના વ્યક્તિને ગોળી વાગી છે. બંને અનંતનાગ જિલ્લાના બોંદિયાલગામની એક ખાનગી શાળામાં નોકરી કરતા હતા. કાશ્મીર ઝોન પોલીસે કહ્યું છે કે ઈજાગ્રસ્ત બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓએ નજીકથી ગોળીબાર કર્યો હતો. દરમિયાન, હુમલાખોરોને પકડવા માટે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. ઈજાગ્રસ્તોમાં એક શાળાનો પટાવાળો છે.

ADGP કાશ્મીરે કહ્યું કે આ આતંકવાદનું કાયર અને અમાનવીય કૃત્ય છે. આતંકવાદીઓએ તેને કામ માટે બહાર આવવા કહ્યું હતું. જેવા બંને બહાર આવ્યા, આતંકવાદીઓએ તેમના પર પિસ્તોલથી ફાયરિંગ કર્યું. અમે ટોચની પ્રાથમિકતા પર તપાસ કરી રહ્યા છીએ. ગુનેગારને જલદી જ પકડી લેવાશે.

અગાઉ, 3 નવેમ્બરના રોજ, ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સૈનિકોએ એક આતંકવાદીનો મૃતદેહ મેળવ્યો હતો જ્યારે બે આતંકવાદીઓના મૃતદેહ એલઓસીને પેલે પાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં પડ્યા હતા. આ બન્ને આતંકવાદીઓના મૃતદેહોને પીઓકેના ગ્રામજનો લઈ ગયા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, 3 આતંકવાદીઓ માર્યા ગયા

સૈન્ય પ્રવક્તાએ કહ્યું કે રાત્રે 10 વાગ્યાની આસપાસ સેનાના સતર્ક ટુકડીઓએ પૂંચ સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કેટલાક લોકોની શંકાસ્પદ હિલચાલ જોયા. તેઓ નિયંત્રણ રેખા પાર કરીને ભારતીય બાજુમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પ્રવક્તાના જણાવ્યા અનુસાર સૈનિકોએ ઘૂસણખોરોને પડકાર ફેંક્યો જેમણે સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ થયેલા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. તેમણે કહ્યું કે એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થળ પરથી બે એકે-47 રાઈફલ, એક પિસ્તોલ અને અન્ય શસ્ત્રો પણ મળી આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ તેના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છેઃ મનોજ સિંહા

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે આતંકવાદ અહીં તેના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે. તેમણે તમામ હિતધારકોને કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થાયી શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવા માટે તેમની ભૂમિકા ભજવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે પોલીસ અને સુરક્ષા દળો એકલા સ્થાયી શાંતિ લાવી શકતા નથી. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટીતંત્રના અન્ય વિભાગો પણ આમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. ઉપરાજ્યપાલનું આ નિવેદન કેન્દ્રશાસિત પ્રદેશમાં કાશ્મીરી પંડિતોની હત્યાની ઘટનાઓ પર રાજકીય પક્ષોની ટીકાના જવાબમાં આવ્યું છે.

સિન્હાએ બુધવારે સાંજે ગરખાલ બોર્ડર વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે આતંકવાદ તેના અંતિમ શ્વાસ ગણી રહ્યો છે. તેમણે કહ્યું કે હવે એવી વ્યવસ્થાની જરૂર છે જેમાં સામાન્ય લોકોને વિશ્વાસ હોય કે તેમને ન્યાય મળશે અને વહીવટીતંત્ર તેમની મદદ કરશે. તેમણે કહ્યું કે આ પ્રકારની વ્યવસ્થા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શાંતિ અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે એક મોટી પહેલ સાબિત થશે. સિંહાએ કહ્યું કે પારદર્શિતા અને ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના સિદ્ધાંતે પ્રોજેક્ટના અમલીકરણમાં ક્રાંતિ લાવી છે.

Next Article