સારા સમાચાર : કૃષિ ક્ષેત્રને કોઇ મોટી અસર નહિ કરે કોરોનાની બીજી લહેર : નીતિ આયોગ

|

Jun 06, 2021 | 4:17 PM

નીતિ આયોગ(Niti aayog)ના સભ્ય (કૃષિ) રમેશ ચંદનું માનવું છે કે કોરોના(Corona)ની બીજી લહેરની દેશના કૃષિ(Agriculture)  ક્ષેત્ર પર કોઈ વિપરીત અસર નહીં પડે. તેમણે કહ્યું કે મે મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં ચેપ ફેલાયો હતો તે સમયે કૃષિ(Agriculture)  સંબંધિત પ્રવૃત્તિઓ ઘણી ઓછી છે.

સારા સમાચાર : કૃષિ ક્ષેત્રને કોઇ મોટી અસર નહિ કરે કોરોનાની બીજી લહેર : નીતિ આયોગ
કૃષિ ક્ષેત્રને કોઇ મોટી અસર નહિ કરે કોરોનાની બીજી લહેર

Follow us on

નીતિ આયોગ(Niti aayog)ના સભ્ય (કૃષિ) રમેશ ચંદનું માનવું છે કે કોરોના(Corona)ની બીજી લહેરની દેશના કૃષિ(Agriculture)  ક્ષેત્ર પર કોઈ વિપરીત અસર નહીં પડે. તેમણે કહ્યું કે મે મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં ચેપ ફેલાયો હતો તે સમયે કૃષિ(Agriculture)  સંબંધિત પ્રવૃત્તિઓ ઘણી ઓછી છે. તેમણે એક સમાચાર એજન્સીને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હાલમાં સબસિડી, ભાવો અને ટેકનોલોજી અંગેની ભારતની નીતિ ચોખા, ઘઉં અને શેરડીની તરફેણમાં છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં પ્રાપ્તિ અને ટેકાના ભાવ (MSP)નીતિઓ કઠોળની તરફેણમાં હોવી જોઈએ.

મે મહિનામાં કોઈપણ પાકનું વાવેતર અને પાક થતો નથી
નીતી આયોગ(Niti aayog) ના સભ્યએ કહ્યું, “કોરોના(Corona)  ચેપ મે મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં ફેલાવા લાગ્યો. મે મહિનામાં કૃષિ(Agriculture)  પ્રવૃત્તિઓ ખૂબ મર્યાદિત રહે છે. ખાસ કરીને કૃષિ જમીન સંબંધિત પ્રવૃત્તિઓ. ”તેમણે કહ્યું કે મે મહિનામાં કોઈપણ પાકનું વાવેતર અને પાક થતો નથી. ફક્ત થોડા શાકભાજી અને અનસીઝનલ પાકનું વાવેતર થાય છે.

કૃષિ ક્ષેત્રને અસર થશે નહીં

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રમેશ ચંદે જણાવ્યું હતું કે માર્ચ મહિના અથવા એપ્રિલના મધ્ય સુધીમાં કૃષિ પ્રવૃત્તિઓ ટોચ પર હોય છે. તેના પછી તેમા ઘટાડો થાય છે. ચોમાસાના આગમન સાથે આ પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં જો મેથી જૂન વચ્ચે મજૂરોની પ્રાપ્યતા ઓછી રહે છે.  તેથી  કૃષિ ક્ષેત્રને અસર થશે નહીં.

સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાની જરૂર

કઠોળના ઉત્પાદનમાં ભારત હજી આત્મનિર્ભર કેમ નથી બન્યું તે અંગે પૂછતાં રમેશ ચંદે કહ્યું હતું કે સિંચાઈ હેઠળનો વિસ્તાર વધારવાની જરૂર છે. આ ઉત્પાદન અને ભાવ સ્થિરતાના મોરચે ઘણું પરિવર્તન લાવશે. “ભારતમાં આપણી સબસિડી નીતિ, ભાવ નીતિ અને ટેકનોલોજી નીતિ ચોખા અને ઘઉં અને શેરડીના પક્ષમાં ભારે વલણ ધરાવે છે.

ટેકાના ભાવ (MSP) નીતિને કઠોળને અનુકૂળ બનાવવાની જરૂર

આવી સ્થિતિમાં, મારું માનવું છે કે આપણે આપણી પ્રાપ્તિ અને ટેકાના ભાવ (MSP) નીતિને કઠોળને અનુકૂળ બનાવવાની જરૂર છે. પાછલા નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 3.6 ટકા હતો.જ્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં 7.3 ટકાનો ઘટાડો થયો હતો.

Published On - 4:14 pm, Sun, 6 June 21

Next Article