નિર્ભયા ગેંગરેપ કેસમાં ગુનેગારોને ફાંસી આપવા પર આજે નિર્ણય આવી શકે છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી પર સુનાવણી થશે. નિર્ભયાની માતાએ ગુનેગારોને ઝડપી ફાંસી આપવા માટેની માગ કરી છે.
આ પહેલા પટિયાલા હાઉસ કોર્ટે દોષીઓને તમામ કાયદાકીય પ્રક્રિયા પુરી કરવા માટે 7 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. સાથે જ તિહાડ જેલ તંત્રએ 4 ગુનેગારને નોટિસ જાહેર કરીને પુછયુ હતું કે તે દયા અરજી દાખલ કરશે કે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પહેલા સુપ્રીમ કોર્ટે દોષી અક્ષય કુમારસિંહ તરફથી દાખલ પુન:વિચાર અરજીને રદ કરી દીધી. જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ આર.ભાનુમતિની કોર્ટની એક ખંડપીઠે પુન:વિચાર અરજીને યોગ્યતાના આધાર પર રદ કરી દીધી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સુરત: અજાણી મહિલા કાંટાળી ઝાડીઓમાં નવજાત બાળકને મુકી ફરાર, પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી