Odisha Cabinet: ઓડિશામાં તમામ મંત્રીઓના મોટા ફેરબદલ પછી, નવા કેબિનેટ શપથ સમારોહ (Odisha Cabinet Oath Ceremony)માં રવિવારે શપથ લીધા. શપથ લેનારાઓમાં બીજેડી નેતા જગન્નાથ સરકા અને નિરંજન પૂજારીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી નવીન પટનાયકની હાજરીમાં ભુવનેશ્વરમાં લોક સેવા ભવનના કન્વેન્શન સેન્ટરમાં 21 મંત્રીઓ-13 કેબિનેટ અને 8 સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓનો શપથ ગ્રહણ (Oath Ceremony)સમારોહ ચાલી રહ્યો છે.
સરકારે 29 મે 2022 ના રોજ તેના પાંચમા કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે અને કેબિનેટના ફેરબદલને 2024 સામાન્ય ચૂંટણીની તૈયારી તરીકે પણ જોવામાં આવે છે. આ પહેલા રાજ્યના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે 20 મંત્રીઓએ પણ પોતાના રાજીનામા ઓડિશા (Odisha) વિધાનસભાના અધ્યક્ષને સોંપી દીધા છે.
બીજેડીના જે ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે તેમાં જગન્નાથ સરકા, નિરંજન પૂજારી, રણેન્દ્ર પ્રતાપ સ્વૈન, પ્રમિલા મલિક, ઉષા દેવી, પ્રફુલ્લ કુમાર મલિક, પ્રતાપ કેસરી દેબ, અતનુ સબ્યસાચી નાયક, પ્રદીપ કુમાર મલિક, નબા કિશોરી દાસ, ટુકુની સાહુ, રાજેન્દ્ર ધોળકિયા અને અશોક ચંદ્ર પાંડાનો સમાવેશ થાય છે. સ્વતંત્ર હવાલો સાથે મંત્રી તરીકે શપથ લેનારા નેતાઓમાં સમીર રંજન દાસ, અશ્વિની કુમાર પાત્રા, પ્રિતિરંજન ઘડાઈ, શ્રીકાંત સાહુ, તુષારકાંતિ બેહેરા, રોહિત પૂજારી, રીટા સાહુ અને બસંતી હેમબ્રમનો સમાવેશ થાય છે. લોકસેવા ભવનના કન્વેન્શન સેન્ટરમાં મુખ્યમંત્રી નવીન પટનાયકની સરકારના શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બીજેડીના વરિષ્ઠ નેતા નિરંજન પૂજારી પણ કેબિનેટ મંત્રી બન્યા છે. તેમના સિવાય અથાગઢના ધારાસભ્ય રણેન્દ્ર પ્રતાપ સ્વૈન, પૂર્વ સરકારના મુખ્ય દંડક પ્રમિલા મલિક, ચિકિતીના ધારાસભ્ય ઉષા દેવી, ઓલના ધારાસભ્ય પ્રતાપ દેબ, મહાકાલ પાડાના ધારાસભ્ય અતનુ સબ્યસાચી નાયકે પણ કેબિનેટ પદના શપથ લીધા છે.
નવીન પટનાયક સરકારની કેબિનેટમાં નાયક 8 વર્ષ બાદ પરત ફર્યા છે. વરિષ્ઠ નેતા અને બૌધના ધારાસભ્ય પ્રદીપ અમતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. તેમના સિવાય ઝારસુગુડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી નબા દાસ પણ કેબિનેટ મંત્રી બન્યા છે.