દેશમાં ફરી એક વાર કોરોનાએ માથું ઉચક્યું છે. મહારાષ્ટ્ર અને કેરળ બાદ પંજાબ, છત્તીસઢ અને મધ્યપ્રદેશમાં CORONAના નવા કેસ વધ્યા છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા સાત દિવસમાં છત્તીસગઢમાં કોરોના સંક્રમણના કેસો દરરોજ વધતા જાય છે. છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં 259 નવા કેસ સામે આવ્યા છે.
બીજી તરફ, કેરળમાં કોરોના સંક્રમણના કેસો દરરોજ વધતા જાય છે અને છેલ્લા એક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. આને કારણે શનિવારે દેશમાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં CORONAના 6,112 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રની જેમ પંજાબમાં પણ CORONAના દૈનિક કેસ વધી રહ્યા છે.પંજાબમાં છેલ્લા 24 કલાકમાં 383 નવા કેસ સામે આવ્યા છે.
મધ્યપ્રદેશમાં 13 ફેબ્રુઆરી મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થયો છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 297 નવા કેસ આવ્યા હતા. મંત્રાલયે કહ્યું કે, કોરાના વાયરસ સંક્રમણની ચેઇન તોડવા અને તેના ફેલાવાને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની જરૂર છે. ફક્ત બે રાજ્યો મહારાષ્ટ્ર અને કેરળમાં જ કોવિડ-19ના 75.87 ટકા કેસો એક્ટિવ છે.