કોરોના વાઈરસની મહામારીના લીધે દેશમાં શિક્ષણકાર્ય પણ અટકી ગયું છે. ધો.12 પછી જરૂરી એવી JEE મેઈન્સ અને એડવાન્સની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માનવ સંસાધન મંત્રાલયે નવી તારીખ જાહેર કરી છે અને હવે JEE મેઈન્સ પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બરની વચ્ચે લેવામાં આવશે. JEE એડવાન્સ પરીક્ષાની તારીખ 27 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં નોંધાયા 687 નવા કોરોના પોઝિટિવ કેસ, 340 દર્દી થયા સ્વસ્થ
માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલે રાષ્ટ્રીય એન્જિનિયરિંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષાને લઈને માહિતી આપી હતી. તેઓએ કહ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે જેઈઈ અને નીટની પરીક્ષાઓને સ્થિગત કરવાનો નિર્ણય લીધો છે. નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરના રોજ આયોજિત કરવામાં આવશે.
Keeping in mind the safety of students we have decided to postpone #JEE & #NEET exams. JEE Main examination will be held between 1-6 Sept, JEE advanced exam will be held on Sept 27 & NEET examination will be held on Sept 13: Union HRD Minister @DrRPNishankpic.twitter.com/hre514DIGW
— tv9gujarati (@tv9gujarati) July 3, 2020
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઉલ્લેખનીય છે કે દેશમાં વિદ્યાર્થીઓની મુશ્કેલી કોરોના વાઈરસના લીધે ના વધે તે માટે સુપ્રીમ કોર્ટે CBSEની પરીક્ષા પણ રદ કરી દીધી હતી. આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યાં હતાં કે JEE અને NEETની પરીક્ષાને પણ મોકૂફ રાખવામાં આવે. સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને તેના લીધે માનવ સંસાધન મંત્રાલયે નવી તારીખનું એલાન કર્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:14 pm, Fri, 3 July 20