સુપ્રીમ કોર્ટે મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ (NEET) અને એન્જીનિયરીંગ પ્રવેશ પરીક્ષા JEEને સ્થગિત કરવાની માગને રદ કરી દીધી છે. જસ્ટિસ અરૂણ મિશ્રાની ખંડપીઠે તેની પર સુનાવણી કરતા કહ્યું કે શું દેશમાં બધુ જ રોકી દેવામાં આવે? એક કિંમતી વર્ષને આ રીતે જ બરબાદ થવા દેવું જોઈએ?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અરજીમાં કોરોના સંક્રમણના વધતા કેસને લઈ સપ્ટેમ્બરમાં પ્રસ્તાવિત JEE Main અને NEET UG પરીક્ષાઓને ટાળવાની માગ કરવામાં આવી હતી. કેસની સુનાવણી જસ્ટિસ અરૂણ મિશ્રાની ખંડપીઠે કરી. ઉલ્લેખનીય છે કે JEE પરીક્ષા 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી આયોજિત થવાની છે. ત્યારે નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે આયોજિત કરવામાં આવશે.
11 રાજ્યોના 11 વિદ્યાર્થીઓ દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાના કેસની સંખ્યાને ધ્યાનમાં રાખી JEE Maina અને NEET UGની પરીક્ષાઓ સ્થગિત કરવાની સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કોરોના મહમારીનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)ની 3 જુલાઈની નોટિસ રદ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 12:25 pm, Mon, 17 August 20