કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) ચંદીગઢમાં (Chandigarh) નશીલી દવાઓની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા પર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન NCBએ (Narcotics Control Bureau) અમિત શાહની દેખરેખ હેઠળ જપ્ત કરાયેલ 30,000 કિલોથી વધુ ડ્રગ્સનો નાશ કર્યો હતો. આ કોન્ફરન્સમાં શાહે કહ્યું, ‘ડ્રગની દાણચોરી, ડ્રગ્સનો ફેલાવો કોઈપણ સમાજ માટે ખૂબ જ ઘાતક છે. જો કોઈ આતંકવાદી ઘટના બને છે, તો તેનું નુકસાન મર્યાદિત છે, ડ્રગની દાણચોરી પેઢીઓને બરબાદ કરી દે છે. તે આપણા સમાજ અને દેશની જડો માટે ઉધઈની જેમ કામ કરે છે.
તેમણે કહ્યું, ‘ડ્રગના ધંધામાં જે પૈસા આવે છે. તે નાણાંનો ઉપયોગ દેશવિરોધી પ્રવૃત્તિઓમાં થાય છે. 2014 થી ભારત સરકારે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. માદક પદાર્થ માનવીની સાથે સાથે સમાજ, અર્થતંત્ર અને દેશની સુરક્ષા પર પણ ખરાબ અસર કરે છે. શાહે કહ્યું, નશીલા પદાર્થોની દાણચોરી સમાજ માટે ખતરો છે. કોઈપણ સમૃદ્ધ રાષ્ટ્રને નશીલા પદાર્થોની દાણચોરી પ્રત્યે ઝીરો ટોલરન્સ રાખવી જોઈએ. આપણે નશીલા પદાર્થોની દાણચોરી પર લગામ લગાવીને આજની યુવા પેઢીને બચાવવાની છે.
શાહે કહ્યું, નશીલા પદાર્થોના વેચાણમાંથી મળતા નાણાંનો ઉપયોગ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળ્યા પછી કેન્દ્ર સરકારે ડ્રગ્સ માટે “ઝીરો ટોલરન્સ પોલિસી” અપનાવી છે. ડ્રગ્સના આ મુદ્દાની આપણા સમાજ, અર્થવ્યવસ્થા અને દેશની સુરક્ષા પર ખૂબ જ ખરાબ અસર પડે છે. એનસીબીએ 1 જૂનથી નશીલા પદાર્થોના ડિસ્પોઝલ ડ્રાઇવ શરૂ કરી હતી અને 29 જુલાઈ સુધીમાં 11 રાજ્યોમાં 51,217 કિલોથી વધુ માદક પદાર્થોનો નિકાલ કરવામાં આવ્યો છે.
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર, એનસીબીએ આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર 75,000 કિલો નાર્કોટિક્સનો નાશ કરવાનો સંકલ્પ કર્યો છે. આ પહેલા એક ઓફિશિયલ રિલીઝમાં જણાવાયું હતું કે શનિવારે 30,468.784 કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થોના નિકાલ પછી, કુલ માત્રા 81,686 કિલોગ્રામની આસપાસ પહોંચી જશે, જે એનસીબીના ટાર્ગેટ કરતાં વધુ હશે. ડ્રગ મુક્ત ભારતની લડાઈમાં આ એક મોટી ઉપલબ્ધિ હશે.