Navjot Singh Sidhu Road Rage Case: કોંગ્રેસ નેતા સિદ્ધુને રોડ રેજ કેસમાં એક વર્ષની જેલ, 34 વર્ષ જૂના કેસમાં સજા

|

May 19, 2022 | 3:15 PM

નવજોત સિંહ સિદ્ધુને 1988ના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

Navjot Singh Sidhu Road Rage Case: કોંગ્રેસ નેતા સિદ્ધુને રોડ રેજ કેસમાં એક વર્ષની જેલ, 34 વર્ષ જૂના કેસમાં સજા
Navjot singh sidhu
Image Credit source: PTI

Follow us on

કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને (Navjot Singh Siddhu) 34 વર્ષ જૂના રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા સંભળાવી છે. વર્ષ 1988 માં, સિદ્ધુના હુમલામાં એક વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું હતું (Navjot Singh Siddhu Road Rage Case). જો કે, જસ્ટિસ એએમ ખાનવિલકર અને એસકે કૌલની બેંચે IPCની કલમ 304A હેઠળ હત્યા ન ગણાતા દોષિત માનવહત્યા માટેની સિદ્ધુની અરજીને ફગાવી દીધી હતી. 2018 માં, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા સિદ્ધુને એક વૃદ્ધ વ્યક્તિને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટે તેને ઈરાદાપૂર્વક હત્યા ન હોવાના આરોપમાંથી મુક્ત કર્યો હતો.

તે સમયે કોર્ટે સિદ્ધુ પર એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેણે આ કેસમાં સિદ્ધુના સહયોગી રુપિન્દર સિંહ સંધુને પણ નિર્દોષ જાહેર કર્યા છે. જોકે, સિદ્ધુ સામેનો કેસ સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જ્યારે આ મામલો પટિયાલાની સેશન્સ કોર્ટમાં પહોંચ્યો ત્યારે તે સમયના ન્યાયાધીશે 22 સપ્ટેમ્બર 1999ના રોજ સિદ્ધુ અને તેના સહયોગીને કેસમાં શંકાનો લાભ અને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. આ પછી પીડિત પરિવારે આ નિર્ણયને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે 2006માં સિદ્ધુને આ કેસમાં દોષી ઠેરવ્યો હતો અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. સિદ્ધુએ આ આદેશને પડકાર્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

પીડિતાના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી

સર્વોચ્ચ અદાલતે, તેના 15 મે, 2018 ના ચુકાદામાં, સિદ્ધુને દોષી ઠેરવ્યો હતો અને તેના પર 1,000 રૂપિયાનો દંડ લાદ્યો હતો. પરંતુ દોષિત હત્યાના આરોપમાંથી નિર્દોષ છૂટી ગયો હતો. આ પછી પીડિત પરિવારે કોર્ટના નિર્ણય પર રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેમાં સિદ્ધુની સજા વધારવાની માંગ કરવામાં આવી હતી. આ વર્ષે 25 માર્ચે સુપ્રીમ કોર્ટે નવજોત સિંહ સિદ્ધુની સજા વધારવાની અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સિદ્ધુ વિરુદ્ધ આ જ અરજીની સુનાવણી થઈ હતી. આ અરજી પર સુનાવણી કરતા દેશની સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં સિદ્ધુને એક વર્ષ જેલમાં રહેવું પડશે.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, 27 ડિસેમ્બર 1988ના રોજ નવજોત સિંહ સિદ્ધુનો એક વૃદ્ધ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. પટિયાલામાં પાર્કિંગને લઈને સિદ્ધુનો 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે ઝઘડો થયો હતો. બંને વચ્ચે બોલાચાલીથી શરૂ થયેલો વિવાદ મારામારીમાં ફેરવાઈ ગયો હતો. આ પછી સિદ્ધુએ વૃદ્ધાને મુક્કો માર્યો. સિદ્ધુના આ હુમલાને કારણે વૃદ્ધનું પાછળથી મોત થયું હતું. આ મામલામાં સિદ્ધુ અને તેના મિત્ર રુપિન્દર સિંહ સિદ્ધુ વિરુદ્ધ અપરાધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

Published On - 2:22 pm, Thu, 19 May 22

Next Article