Punjab: વડાપ્રધાનની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને ભાજપ પંજાબની કોંગ્રેસ સરકાર (Punjab Government) પર સતત પ્રહારો કરી રહી છે. આ દરમિયાન પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Siddhu) આ સમગ્ર મામલે ચંદીગઢમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે પંજાબમાં (Punjab) જીવનું જોખમ બતાવવુ એ રાજ્યનું અપમાન છે. આ સાથે તેમણે ભાજપ પર પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા.
વડાપ્રધાન મોદીની મુલાકાત પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, અચાનક રોડ પર જવાનો કાર્યક્રમ કેમ બનાવવામાં આવ્યો? ફિરોઝપુરમાં યોજાનારી રેલીમાં ભીડ ઓછી હતી, તેથી આ નાટક રચવામાં આવ્યુ. 70 હજાર ખુરશીઓ સામે માત્ર 500 લોકો જ હાજર હતા. પંજાબમાં ભાજપને કોઈ સમર્થન નથી આપી રહ્યું, પંજાબમાં ભાજપનો પર્દાફાશ થયો છે.
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પંજાબના લોકોએ ભાજપને નકારી દીધુ છે. ભાજપે ગંદી રાજનીતિ (Politics) રમવાનું બંધ કરવું જોઈએ. શું આ ક્ષતિ માટે IB, કેન્દ્રીય એજન્સી જવાબદાર નથી.” ખેડૂતોનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે ‘દિલ્હીમાં ખેડૂતો દોઢ વર્ષથી પીડાતા રહ્યા. ખેડૂતોએ વિરોધ કર્યો, પરંતુ હિંસાનો આશરો લીધો નહીં. આ સાથે તેમણે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amrindersingh) પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમને ભાજપનો પોપટ ગણાવતા કહ્યું કે કેપ્ટન અમરિન્દર સિંહ ભાજપના પિંજરામાં કેદ છે.
નવજોત સિંહ સિદ્ધુએ ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભાજપે રાજનીતિ કરવાનું બંધ કરવુ જોઈએ, સાથે અમરિંદર સિંહ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભાજપના પોપટ પંજાબમાં રાષ્ટ્રપતિ શાસનની વાત કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યુ કે “વડાપ્રધાન, તમે માત્ર ભારતીય જનતા પાર્ટીના જ નથી, તમે બધાના વડાપ્રધાન છો. દેશનું દરેક બાળક તમારા જીવનની કિંમત જાણે છે. અહીં તમારા જીવને ખતરો છે એવું કહીને તમે આ રાજ્યનું અપમાન કરી રહ્યા છો.”
આ પણ વાંચો : PM Security Breach: PMની સુરક્ષાને લઈને ચન્ની સરકાર બેકફૂટ પર, પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાનું દબાણ