ગુજરાતમાં ખેંચાયેલા વરસાદ વચ્ચે સારા સમાચાર, અલ-નીનો નબળું પડતા હવામાન વિભાગની આગાહી

|

Jul 13, 2019 | 3:31 PM

ગુજરાતમાં મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની રાહમાં ખેડૂતો આશા રાખીને બેઠા છે. ત્યારે અમેરિકાના હવામાન વિભાગ મુજબ આગામી 1 મહિનામાં અલ-નીનો પૂર્ણ થઈ જશે. ભારતીય હવામાન વિભાગના પ્રમુખ ડી.શિવાનંદે કહ્યું કે, આ વરસાદને લઈ ખૂબ સારા સમાચાર છે. જોકે આ વર્ષમાં અલનીનોનું નબળુ પડવું એ કોઈ વાતની ગેરેંટી નથી પણ આશા […]

ગુજરાતમાં ખેંચાયેલા વરસાદ વચ્ચે સારા સમાચાર, અલ-નીનો નબળું પડતા હવામાન વિભાગની આગાહી
EL Nino

Follow us on

ગુજરાતમાં મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની રાહમાં ખેડૂતો આશા રાખીને બેઠા છે. ત્યારે અમેરિકાના હવામાન વિભાગ મુજબ આગામી 1 મહિનામાં અલ-નીનો પૂર્ણ થઈ જશે. ભારતીય હવામાન વિભાગના પ્રમુખ ડી.શિવાનંદે કહ્યું કે, આ વરસાદને લઈ ખૂબ સારા સમાચાર છે. જોકે આ વર્ષમાં અલનીનોનું નબળુ પડવું એ કોઈ વાતની ગેરેંટી નથી પણ આશા જરૂર બાંધે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

આ પણ વાંચોઃ અમરનાથ યાત્રાઃ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પહોંચ્યા છે પરંતુ આ કારણથી યાત્રાને રોકી દેવાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે સમદ્રનું તાપમાન અને વાયુમંડળીય પરિસ્થિતિમાં થયેલા ફેરફારની પરિસ્થિતિને અલ-નીનો કહેવામાં આવે છે. જાણકારો મુજબ અલ-નીનોના પ્રભાવથી પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટી ગરમ થઈ જાય છે. જેથી હવાની દિશા અને ગતિમાં ફેરફાર થવા લાગે છે. જેનાથી ઋતુઓના સમયગાળામાં ફેરફાર જોવા મળે છે. ભારતમાં પણ અલ-નીનોના પ્રભાવથી વરસાદની સિઝનમાં ફેરફાર થવા લાગે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ મુજબ અલ-નીનોના કારણે જૂન મહિનાના વરસાદ પર અસર થઈ છે અને 33 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. શિવાનંદે કહ્યું કે, અલ-નીનોનો પ્રભાવ પૂરી રીતે ઓછો થતો નથી. પરંતુ અલ-નીનો નબળુ પડવાથી વરસાદ સારો રહેવાના સંકેત મળે છે.

Published On - 3:29 pm, Sat, 13 July 19

Next Article