તો શું આદિલ તેના ઘર પર કરાયેલા ફાયરિંગનો બદલો લેવા આત્મઘાતી હુમલો કરવા તૈયાર થયો ? NIA ટૂંકમાં જ કરશે અનેક ચોંકાવનારા ખુલાસા અને ઇમરાનને આપી દેશે પુરાવા

|

Feb 25, 2019 | 6:06 AM

રાષ્ટ્રીય તપાસ એજંસી (NIA) પુલવામા આતંકી હુમલા કેસ ઉકેલવાની એકદમ નજીક પહોંચી ગઈ છે અને તેનો સ્પષ્ટ ઇશારો છે કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, […]

તો શું આદિલ તેના ઘર પર કરાયેલા ફાયરિંગનો બદલો લેવા આત્મઘાતી હુમલો કરવા તૈયાર થયો ? NIA ટૂંકમાં જ કરશે અનેક ચોંકાવનારા ખુલાસા અને ઇમરાનને આપી દેશે પુરાવા

Follow us on

રાષ્ટ્રીય તપાસ એજંસી (NIA) પુલવામા આતંકી હુમલા કેસ ઉકેલવાની એકદમ નજીક પહોંચી ગઈ છે અને તેનો સ્પષ્ટ ઇશારો છે કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ છે.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એનઆઈએ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે પુરાવાઓનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું છે કે આ ઑપરેશનમાં આત્મઘાતી હુમલાખોર આદિલ અહમદ ડાર તથા સ્થાનિક હૅંડલર સહિત જૈશ એ મોહમ્મદ (JEM)ના પાંચ આતંકવાદીઓ સામેલ હતાં.

ગત 14 ફેબ્રુઆરી, 2019ના રોજ CRPF જવાનોના કાફલા પર વિસ્ફોટ માટે જે ગાડીનો ઉપયોગ કરાયો હતો, તેના માલિકની પણ ઓળખ કરી લેવાઈ છે. આ ગાડી લગભગ 8 વર્ષ પહેલા કાશ્મીરમાં રજિસ્ટર્ડ થઈ હતી અને માલિક પણ જાણતો હતો કે તેની ગાડીનો ઉપયોગ આતંકી જૂથ તરફથી કરવામાં આવી રહ્યો છે. ગાડીનો માલિક હાલ હાથ લાગ્યો નથી.

સૂત્રોએ જણાવ્યું કે પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાનનો સ્પષ્ટ રીતે હાથ છે. આત્મઘાતી હુમલામાં વપરાયેલી ગાડીમાં એક કંટેનરમાં લગભગ 25 કિલો RDX મૂકાયેલુ હતું. એક તરફ આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે જેઈએમે આ ઘટનાને અંજામ આપવા માટે કઈ રીતે આરડીએક્સ ખરીદ્યું, તો બીજી બાજુ તપાસકારો એવું માનવે છે કે વિસ્ફોટકો સરહદ પારથી લાવવામાં આવ્યા હતાં.

એનઆઈએના એક સૂત્રે કહ્યું, ‘અમારી પાસે ગાડીની વિસ્તૃત વિગત છે. તેમાં આ જ આતંકી જૂથ (જૈશ એ મોહમ્મદ)ના લોકો ઓછામાં ઓછું 2 વાર દેખાયા હતાં. આદિલ અહમદ ડાર માર્ચ-2018માં ગાયબ થયા બાદ જેઈએમની યૂનિટ સાથે એક્ટિવ હતો. આ આતંકી જૂથ મુખ્યત્વે સરહદ પારથી પોતાનું ઑપરેશન ચલાવે છે.

તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે 2018માં મેના અંતે કે જૂનમાં સલામતી દળો તરફથી આદિલ અહમદ ડારના કાકપોરા સ્થિત આવેલા ઘર ફાયરિંગ થઈ હતી. ત્યારથી તે CRPFથી નફરત કરતો હતો.’

તપાસકર્તાઓ એવું માને છે કે ડારના ઘર પર ફાયરિંગ બાદ સ્થાનિક જૈશ હૅંડલરે આદિલને કટ્ટર બનાવી દીધો અને સરહદ પારથી આવેલા નિર્દેશ બાદ તેને આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર કરાયો હતો. જોકે આ હુમલામાં સામેલ લોકોની ઓળખ ઉજાગર કરવાનો એનઆઈએએ ઇનકાર કર્યો છે, પરંતુ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આગામી બે અઠવાડિયામાં આ કેસની વિસ્તૃત માહિતી સામે આવી જશે.

[yop_poll id=1778]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:04 am, Mon, 25 February 19

Next Article