અયોધ્યામાં રામ મંદિર મુદ્દે આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેની સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક યોજાવાની છે. જો કે બેઠક શરૂ થાય તે પહેલા જ કોઈ વિવાદ સર્જાઈ ગયો. જેના કારણે બેઠકની જગ્યા બદલી દેવામાં આવી છે.
આ મિટિંગ લખનઉની નદવા કોલેજમાં રાખવામાં આવી હતી. AIMIMના અધ્યક્ષ અસદુદ્દિન ઔવેસી સહિતના મુસ્લિમ અગ્રણીઓ બેઠક સ્થળ પર પહોંચી ગયા હતા. જો કે કોઈ કારણોસર અચાનક જગ્યા બદલી દેવામાં આવી. હવે બેઠકની જગ્યા બદલીને મુમતાઝ પીજી કોલેજ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ બેઠકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે પુનર્વિચાર અરજી દાખલ કરવી કે નહીં તેને લઈને ચર્ચા થવાની છે સાથે જ 5 એકર જમીન લેવી કે નહીં તે મુદ્દે પણ ચર્ચા થશે. જો કે પુનર્વિચાર અરજીને લઈને મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્યોમાં બે ફાટા પડી ગયા છે. જફરયાબ જિલાની અને તેના કેટલાક સમર્થક રિવ્યુ પિટીશન દાખલ કરવાના પક્ષમાં છે.
તેમનો તર્ક છે કે જ્યારે કાયદાકીય રીતે રિવ્યુ પિટીશનનો વિકલ્પ મળેલો છે તો એનો ઉપયોગ કરવો જોઈએ. જો કે મુસ્લિમ પર્સનલ બોર્ડમાં સામેલ મોટાભાગના લોકોનો તાર્કિક દાવો છે કે આ મુદ્દાનો અંત આવી ગયો છે ત્યારે વિવાદ પર પુર્ણવિરામ મુકવો જોઈએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો