Mumbai Rain : ભારે વરસાદને પગલે મુંબઈ યુનિવર્સીટીએ પરીક્ષાઓ કરી રદ્દ , હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ

અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદથી (Rain )પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને ખાનગી કચેરીઓ 16 જુલાઈ સુધી બંધ રહેશે.

Mumbai Rain : ભારે વરસાદને પગલે મુંબઈ યુનિવર્સીટીએ પરીક્ષાઓ કરી રદ્દ , હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યુ
Heavy Rain in Mumbai (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 3:48 PM

ગુજરાતની(Gujarat ) જેમ હવે મુંબઈ(Mumbai ) માં પણ વરસાદની મહેર જોવા મળી રહી છે. ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે મુંબઈમાં પણ મેઘરાજાનું (Rain )જોર વધારે જોવા મળી રહ્યું છે. સતત ભારે વરસાદને કારણે, મુંબઈ યુનિવર્સિટીએ ગુરુવારે યોજાનારી તમામ પરીક્ષાઓ રદ કરી દીધી છે. મુંબઈના નાયબ શિક્ષણ નિયામક સંદીપ સાંગવેએ મુંબઈ સહિત વિવિધ ઝોનના શિક્ષણ અધિકારીઓને ભારે વરસાદના કિસ્સામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

બુધવારે પણ દરિયાની ભારે ભરતી સાથે પડેલા ભારે વરસાદના કારણે દક્ષિણ મુંબઈના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. પેડર રોડ અને મરીન ડ્રાઇવ ખાતે તારાપોરવાલા એક્વેરિયમ નજીકના વિસ્તારમાં પાણી ભરાવા માટે રહેવાસીઓએ તંત્રને દોષિત ઠેરવ્યા હતા. ભારે વરસાદને કારણે રસ્તા પર થયેલા પાણી ભરાવાને લીધે મુંબઈગરાઓને અટવાવાનો વારો આવ્યો હતો.

વધુમાં મળતી માહિતી પ્રમાણે હાલમાં, એન્જિનિયરિંગ અને ફાર્મસીની પરીક્ષાઓ ચાલી રહી છે. જોકે ભારે વરસાદને પગલે ગુરુવારની પરીક્ષાઓ રદ કરવાનો મુંબઈ યુનિવર્સિટીનો નિર્ણય થાણે અને પાલઘરના કલેક્ટર અને પનવેલ મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યો છે. નવી મુંબઈમાં ગુરુવારે તમામ શાળાઓ બંધ રહેશે. તેમજ થાણે જિલ્લામાં ગુરુવાર અને શુક્રવારે શાળાઓ બંધ રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદથી પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને ખાનગી કચેરીઓ 16 જુલાઈ સુધી બંધ રહેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ભારતીય હવામાન વિભાગ (IMD) એ પાલઘર, થાણે, રાયગઢ, નાસિક, પુણે અને કોલ્હાપુર જિલ્લામાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં હવામાન ખાતા તરફથી ઓરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને તંત્ર એલર્ટ સ્થિતિ માં છે. લોકોને વરસાદી પાણીના ભરાવાને લીધે કોઈ તકલીફ ન થાય તે બાબતનું ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં લોકોને વગર કારણે ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ તંત્ર તરફથી આપવામાં આવી છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">