AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યોગી માટે અંબાણીએ ખોલ્યો પટારો, 75,000 કરોડના મૂડીરોકાણની સાથે 5Gની આપી ભેટ

મુકેશ અંબાણી આગામી ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશમાં 5G સેવાઓ શરૂ કરવાની સાથેસાથે, રિટેલ સહિત ટેલિકોમ નેટવર્કને વિસ્તારવા અને નવા ઉર્જા વ્યવસાય માટે રૂ. 75,000 કરોડના રોકાણની જાહેરાત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 3:26 PM
Share

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ આજે શુક્રવારે જણાવ્યું હતું કે, તેઓ 5G સેવાઓ શરૂ કરવાની સાથે, રિટેલ અને નવા ઊર્જા વ્યવસાય સહિત ટેલિકોમ નેટવર્કને વિસ્તારવા માટે આગામી ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશમાં રૂ. 75,000 કરોડનું રોકાણ કરશે. રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ ‘ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ’માં કહ્યું કે, તેમના જૂથનું ટેલિકોમ યુનિટ Jio ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યમાં 5G સેવા શરૂ કરશે. અંબાણીએ કહ્યું કે, આ ઉપરાંત, પેટ્રોકેમિકલ-ટુ-ટેલિકોમ જૂથ 10 ગીગાવોટ રિન્યુએબલ ક્ષમતાની સ્થાપના કરશે અને સેક્ટરમાં બાયો-એનર્જી બિઝનેસ શરૂ કરશે.

યુપીના દરેક ગામમાં 5જી નેટવર્ક પહોંચશે

શુક્રવારે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ, 2023માં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, રિલાયન્સ ગ્રૂપ યુપી રાજ્યમાં 5G સેવા, છૂટક અને નવા ઊર્જા વ્યવસાય સાથે ટેલિકોમ નેટવર્કનું વિસ્તરણ કરશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, તેમના જૂથનું ટેલિકોમ યુનિટ Jio ડિસેમ્બર 2023 સુધીમાં રાજ્યભરમાં 5G સેવાઓ શરૂ કરશે. લખનૌમાં યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે જિયો ઉત્તર પ્રદેશના દરેક નગર અને ગામડાઓને આવરી લેવા માટે ડિસેમ્બર 2023 સુધીમાં 5Gનું તેનું રોલ-આઉટ પૂર્ણ કરશે.

મુકેશ અંબાણીએ બજેટ પર શું કહ્યું?

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે કેન્દ્રીય બજેટ મૂડી ખર્ચની ફાળવણી માટે ‘આઉટ ઓફ ધ બોક્સ’ છે. સરકાર મૂડી રોકાણ 33 ટકા વધારીને રૂ. 10 લાખ કરોડ કરશે. જે કુલ જીડીપીના 3.3 ટકા હશે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટે ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવવાનો પાયો નાખ્યો છે. મુકેશ અંબાણીએ કહ્યું, ભારત ખૂબ જ મજબૂત વિકાસના માર્ગ પર છે.

ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 10 થી 12 ફેબ્રુઆરી સુધી યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કર્યું. ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 10 થી12 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઉત્તર પ્રદેશ સરકારની આ ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે. સમિટનો ઉદ્દેશ્ય વિશ્વભરના નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, થિંક ટેન્ક અને નેતાઓને બિઝનેસની તકો શોધવા અને ભાગીદારી બનાવવા માટે સાથે લાવવાનો છે. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">