સુપ્રીમ કોર્ટે અપરિણીત મહિલાને 24 સપ્તાહની ‘ગર્ભાવસ્થા’ સમાપ્ત કરવાની આપી મંજૂરી, AIIMSને મેડિકલ બોર્ડની રચના કરવા આદેશ

દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાત કાયદા હેઠળ જો શારીરિક સંબંધ સહમતિથી બને છે તો તેને 20 અઠવાડિયા પછી ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ નિર્ણયને રદ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે અપરિણીત મહિલાને 24 સપ્તાહની 'ગર્ભાવસ્થા' સમાપ્ત કરવાની આપી મંજૂરી, AIIMSને મેડિકલ બોર્ડની રચના કરવા આદેશ
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2022 | 10:20 AM

સર્વોચ્ચ અદાલતે (Supreme Court) એક અપરિણીત મહિલાને ગર્ભપાત (Abortion) કરાવવાની મંજૂરી આપી છે જે તેની ગર્ભાવસ્થા સમાપ્ત કરવા માંગે છે. આ મહત્વપૂર્ણ આદેશ સાથે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો, જેમાં કોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાત કાયદા હેઠળ જો જાતીય સંબંધ સહમતિથી બને છે તો તેને 20 અઠવાડિયા પછી ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. દિલ્હી હાઈકોર્ટે ગર્ભવતી અપરિણીત મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય દ્વારા ‘મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ’નો વિસ્તાર કર્યો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એ. એસ બોપન્નાની ખંડપીઠે એમટીપી એક્ટની જોગવાઈઓ હેઠળ શુક્રવાર સુધીમાં અપરિણીત મહિલાની તપાસ કરવા માટે બે ડૉક્ટરોના મેડિકલ બોર્ડની રચના કરવા એઈમ્સના ડિરેક્ટરને આદેશ આપ્યો છે. ખંડપીઠે બોર્ડને એ જાણવા માટે કહ્યું છે કે, શું ગર્ભાવસ્થા સમાપ્ત કરવાથી મહિલાના જીવને ખતરો છે.

હાઈકોર્ટમાંથી પ્રેગ્નેન્સી ખતમ કરવાની પરવાનગી મળી ન હતી

બેંચે કહ્યું કે, એમટીપી એક્ટની જોગવાઈઓ હેઠળ શુક્રવાર સુધીમાં મેડિકલ બોર્ડની રચના કરવા એઈમ્સના ડિરેક્ટરને અપીલ કરવામાં આવે છે. જો મેડિકલ બોર્ડ એવા નિષ્કર્ષ પર આવે છે કે ગર્ભપાતને કારણે મહિલાના જીવને કોઈ ખતરો નથી અને સુરક્ષિત ગર્ભપાત થઈ શકે છે. તો અરજી મુજબ એઈમ્સ ગર્ભપાત કરશે અઠવાડિયા જે બાદ બુધવારે તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને તેની અપીલ પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો

દિલ્હી હાઈકોર્ટે ગર્ભપાતને મંજૂરી આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે, તે ગર્ભમાં બાળકની હત્યા (ભ્રૂણહત્યા) સમાન છે. હાઈકોર્ટે 16મી જુલાઈના તેના આદેશમાં આ મહિલાને તેની 23 સપ્તાહની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, ગર્ભપાત કાયદા હેઠળ જો પરસ્પર સંમતિથી સંબંધ બનાવવામાં આવે તો 20 અઠવાડિયા પછી ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી નથી. જો કે, હાઈકોર્ટે મહિલાની અપીલ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો કે, અપરિણીત મહિલાઓને 24 અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી ન આપવી એ ભેદભાવપૂર્ણ છે. અરજદાર, 25 વર્ષીય મહિલાએ કોર્ટને કહ્યું હતું કે, તેના પ્રેમીએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, જેની સાથે તેણીના સહમતિથી સંબંધો હતા.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">