25 હજાર કરોડ રૂપિયાના મહારાષ્ટ્ર બૅન્ક કૌભાંડ કેસમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર પર FIR

|

Sep 25, 2019 | 4:10 AM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ EDએ પવાર પરિવારને મોટો ઝટકો આપ્યો છે. EDએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) પ્રમુખ શરદ પવાર, તેમના ભત્રીજા અજીત પવાર અને અન્ય 75 લોકોની વિરૂદ્ધ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્ક કૌભાંડ મામલે કેસ દાખલ કર્યો. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી […]

25 હજાર કરોડ રૂપિયાના મહારાષ્ટ્ર બૅન્ક કૌભાંડ કેસમાં શરદ પવાર અને તેમના ભત્રીજા અજીત પવાર પર FIR

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ EDએ પવાર પરિવારને મોટો ઝટકો આપ્યો છે. EDએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) પ્રમુખ શરદ પવાર, તેમના ભત્રીજા અજીત પવાર અને અન્ય 75 લોકોની વિરૂદ્ધ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્ક કૌભાંડ મામલે કેસ દાખલ કર્યો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

EDએ NCPના મોટા નેતાઓની વિરૂદ્ધ આ પગલુ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગયા મહિને આપેલા નિર્ણય પછી લેવામાં આવ્યુ છે. જેમાં મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી શાખાને કથિત કૌભાંડમાં શરદ પવાર, અજીત પવાર અને અન્ય 75 લોકોની વિરૂદ્ધ FIR દાખલ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

EDએ મુંબઈ પોલીસની FIRના આધાર પર કેસ દાખલ કર્યો છે. જેને ગયા મહિને કૌભાંડ મામલે કેસ દાખલ કર્યો હતો. અરજીકર્તા સુરેન્દ્ર અરોડાએ બોમ્બે હાઈકોર્ટમાં NCP નેતાઓના નિયંત્રણવાળી મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કની તપાસ માટે કેસ દાખલ કર્યો હતો, જેની પર કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો.

નેતાઓ પર આરોપ છે કે કો-ઓપરેટિવ બૅન્કના અધિકારીઓની વચ્ચે મિલીભગત હતી. આ મિલીભગતથી સુગર મિલો અને યાર્ન મિલોના સંચાલકો અને અધિકારીઓએ નિયમો ધ્યાનમાં રાખીની 25 હજાર કરોડ રૂપિયાનું દેવુ વિતરણ કરવામાં આવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રિપોર્ટ મુજબ તપાસમાં સામે આવ્યું કે ઘણા લોકોને ફાયદો પહોંચાડવા માટે સુગર મિલની આર્થિક સ્થિતી સારી ન હોવાની અને દેવું હોવા છતા બૅન્કોએ લોન આપી. ઘણા મામલામાં ગિરવી રાખીને લોન આપવામાં આવી અને ઘણી વખત ગિરવી રાખેલી સંપતિ કરતા વધારે લોન આપવામાં આવી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગેરવહીવટ, વધતા ખર્ચા અને ક્ષમતાનો પુરો ઉપયોગ ન થવાને કારણે સુગર મિલો આર્થિક તંગીનો શિકાર થઈ ગઈ અને તેમને ખુબ જ ઓછા પૈસામાં વેચી દેવામાં આવી. સાથે જ રિઝર્વ કિંમતથી ઓછા ભાવે વેચીને ખરીદનારને પણ ફાયદો પહોંચાડવામાં આવ્યો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article