બ્રિટનના સાંસદોની માનવાધિકાર ભંગની વાત પર મીર જુનૈદેનો પ્રહાર, કહ્યું, ‘ISIએ અમારા બાળકોને બરબાદ કર્યા ત્યારે ક્યાં હતા આ લોકો’

જમ્મુ-કાશ્મીર વર્કર્સ પાર્ટીના પ્રમુખ મીર જુનૈદે (Mir junaid) માનવાધિકાર માટે વાત કરનારા વિદેશી તાકાતો પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, જ્યારે અમારી મહિલાઓ પર દુષ્કર્મ થઈ રહ્યું હતું અને જ્યારે ISI અમારા બાળકોને બરબાદ કરી રહી હતી ત્યારે તમારા માનવ અધિકાર ક્યાં હતા.

બ્રિટનના સાંસદોની માનવાધિકાર ભંગની વાત પર મીર જુનૈદેનો પ્રહાર, કહ્યું, 'ISIએ અમારા બાળકોને બરબાદ કર્યા ત્યારે ક્યાં હતા આ લોકો'
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 6:02 PM

Mir Junaid On British MP: જમ્મુ-કાશ્મીર વર્કર્સ પાર્ટીના પ્રમુખ મીર જુનૈદે (Mir junaid) માનવાધિકાર માટે વાત કરનારા વિદેશી તાકાતો પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે, એક કાશ્મીરી મુસ્લિમ તરીકે હું તમને યાદ કરાવવા માંગુ છું કે, હા આપણા માનવાધિકારોનું ઉલ્લંઘન (Human Rights) થયું છે પરંતુ પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા. જ્યારે અમારી મહિલાઓ પર દુષ્કર્મ થઈ રહ્યું હતું અને જ્યારે ISI અમારા બાળકોને બરબાદ કરી રહી હતી ત્યારે તમારા માનવ અધિકાર ક્યાં હતા. કારણ કે, ત્યારે તે માનવાધિકારનું ઉલ્લંઘન ન હતું.

માનવ અધિકારોના ઉલ્લંઘનની વાત ન કરશો

મીર જુનૈદે માનવાધિકારના ઉલ્લંઘનની વાત કરનારા બ્રિટિશ સાંસદોને કહ્યું કે, જો તમે લોકો ખરેખર માનવાધિકારના ઉલ્લંઘનથી ચિંતિત હોત તો તમે પાકિસ્તાન અને ચીન પાસેથી પણ આ બધી બાબતો પૂછી હોત. પરંતુ તમે તેમની પરવા કરતા નથી. જો તમને ચિંતા હોત તો તમે પૂછ્યું હોત કે, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ડૉક્ટરો, વકીલો, યુવાનોને કોણે માર્યા? જો તમે ચિંતિત હોવ તો તમારે ISI ના નાર્કો મોડ્યુલ અને પાકિસ્તાનની ઘૂસણખોરી વિશે વાત કરવી જોઈએ.

મીર જુનૈદ અહીં જ ન અટક્યા, બ્રિટન પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, બ્રિટન એક એવો દેશ છે જે ભારતની આઝાદી, આર્થિક, વિદેશ નીતિ અને રાજનીતિથી ડરે છે. તેમણે પ્રશ્ન કર્યો કે, આ દેશે માનવ અધિકાર માટે શું કર્યું છે. મીરે કહ્યું કે, તમને એ પણ ડર લાગે છે કે ભારત આ બધી બાબતોની પરવા નથી કરતું અને આ સમયે બિલકુલ નથી. તેઓ અહીં જ ન અટક્યા, તેમણે બ્રિટિશ સાંસદોને ફટકાર લગાવતા કહ્યું કે, તમે જે દેશો પર શાસન કર્યું તે આજે તમારી આંખમાં આંખ નાખીને વાત કરી રહ્યા છે. અને આ પીડા સમજી શકાય તેવી છે.

શું હતો સમગ્ર મુદ્દો

હકીકતમાં, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સન થોડા દિવસો પહેલા ભારતની મુલાકાતે આવ્યા હતા અને આ દરમિયાન તેઓ ગુજરાતમાં જેસીબી મશીન પર ચડી ગયા હતા અને ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ સમયે ભારતમાં બુલડોઝરની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બાબતને લઈને બ્રિટનમાં વિપક્ષે તેમના પર અનેક સવાલો ઉઠાવ્યા અને માનવાધિકારની માંગ કરી.

આ મુદ્દે વિરોધનો જવાબ આપતા, વિકી ફોર્ડ, વિદેશ બાબતોના કાર્યાલય, કોમનવેલ્થ અને વિકાસના અન્ડર સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું હતું કે, આ મુલાકાત વેપાર ભાગીદારી વધારશે અને માનવ અધિકારના મહત્વનો મુદ્દો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. ફોર્ડે કહ્યું કે, અમે માનવાધિકારોની અવગણના કરીને બિઝનેસમાં વૃદ્ધિ કરતા નથી. તેમણે કહ્યું કે, અમે બંને બાબતોને અમારી ભાગીદારીના ઊંડા, પરિપક્વ અને વ્યાપક સંબંધનો મહત્વપૂર્ણ ભાગ માની છીએ. જો અમને કોઈ ચિંતા હશે તો અમે તેને સીધી ભારત સરકાર સાથે ઉઠાવીશું.

આ પણ વાંચો: PNB Recruitment 2022: પંજાબ નેશનલ બેંકમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જુઓ સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: આ કંપનીએ કર્મચારીઓને દરરોજ ઓફિસ જવાની ઝંઝટમાંથી આપી મુક્તિ, વર્ષમાં 90 દિવસ કામ માટે આપી આ ઓફર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">