સાંસ્કૃતિક મંત્રાલયની જાહેરાત, પરાક્રમ દિવસ તરીકે ઉજવાશે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ
ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય ચેહરાઓમાન એક શુભાષ ચંદ્ર બોસની જન્મ જયંતી પરાક્રમ દિવસના રૂપમાં માનવામાં આવશે.
Shubhas Chandra Bose 125 Birth Anniversary: ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય ચેહરાઓમાંના એક Shubhas Chandra Boseની જન્મ જયંતી આ વખતે પરાક્રમ દિવસના રૂપમાં માનવામાં આવશે. આ બાબતની જાણકારી સંસ્કૃતિ મંત્રાલય તરફથી આપવામાં આવી છે. આ પહેલા નેતાજીની 125મી જન્મ જયંતિને લઈને વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કહ્યું હતું કે નેતાજીની વિરતાથી તમામ પરિચિત છે. નેતાજી જેવા સ્કૉલર, સોલ્જર, ઔર સ્ટેટ્સમેનની 125 મી જયંતીથી જોડાયેલા કાર્યક્રમોની ઘોષણા અમે જલ્દી કરીશું. સંસ્કૃતિ મંત્રાલયે પણ એક અધિકૃત જાહેરાત કરીને કહ્યું કે આ સમિતિ 23 જાન્યુઆરીથી આગલા એક વર્ષ સુધી 125 મી જયંતીના વર્ષમાં આયોજિત કરશે અને આગળના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરશે.
વડાપ્રધાનની અધ્યક્ષતામાં સમિતિની રચના- સુભાષ ચંદ્ર બોસની 125 મી જયંતી મનાવવામાં માટે પ્રધાન મંત્રી મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં પ્રધાન માણતી સિવાય રાજનાથ સિંહ, અમીત શાહ, મમતા બેનરતજી, જગદીપ ધનકડ, મીથુન ચક્રવર્તી, કાજોલ અને એ. આર. રહમાન સહિત 84 લોકોને સદસ્ય તરીકે સમિતિમાં જોડ્યા છે.
નેતાજીની આ 125 મી જન્મ જયંતી મનાવવા માટે થઈને બનાવેલી આ સમિતિમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને ટીએમસી માંથી બીજેપીમાં આવેલા શુભેંદુ અધિકારીને પણ શામેલ કરવામાં આવ્યા છે.
નેતાજી સુભાષ ચંદ્ર બોસની 125 મી જયંતી મનાવવા માટે બનાવેલી સમિતિના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.